પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 24 માર્ચ 2020ના રોજ રાતે 8 કલાકે દેશમાં કોરોના મહામારીને રોકવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેર કરતાં પ્રજાજોગ સંબોધન કર્યું હતું. આ ઘટનાને આજે એકવર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જે ખોટો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજેપણ કરવાના છે રાષ્ટ્રજોગ સંબોધન?
સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેસેજ
વાયરલ મેસેજ ખોટો હોવાનું થયું સાબિત
ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલા મેસેજને કારણે ઇન્ટરનેટ ઉપર પણ સૌથી વધુ વખત આ સર્ચ કરવામાં આવ્યું છે અને લોકોના વ્હોટ્સેપ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં આ મેસેજે ધૂમ મચાવી છે. જેના લીધે લોકો વધુ દ્વીધામાં મુકાઇ ગયા છે.
લોકો પીએમ મોદીના સંબોધનને લઈને કરી રહ્યા છે ગુગલ સર્ચ
હકીકતમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે દેશમાં કોરોના મહામારીના ફેલાવાને રોકવા માટે 24 માર્ચ, 2020 ના રોજ 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. આ જાહેરાતના એક વર્ષ પછી, બુધવારે એટલે કે આજે લોકો ફરી એકવાર સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર પીએમ મોદીના સંબોધન અંગે ગુગલ સર્ચ કરી રહ્યા છે.
વાયરલ થયેલો મેસેજ ખોટો
જણાવી દઇએ કે, વાયરલ થયેલા આ મેસેજમાં પ્રધાનમંત્રી મોદી આજેપણ દેશજોગ સંબોધન કરવાના છે. તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે જ્યારે આ વાઈરલ મેસેજનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, વાયરલ થયેલો આ ફેક ન્યૂઝ છે. પ્રધાનમંત્રી મોદી આજે દેશને સંબોધન કરવાના નથી.
આજે PM મોદી નથી કરવાના પ્રજાજોગ સંબોધન
આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાતે 8 વાગે રાષ્ટ્રજોગ સંબોધન નથી કરવાના. તો સંબોધન અંગે પ્રધાનમંત્રીના સત્તાવાર પેજ પર પણ કોઇપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. તેનો અર્થ એવો થયો કે, વાયરલ થયેલો મેસેજ ફેક છે. લોકોને પણ VTV દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે, આ પ્રકારના વાયરલ મેસેજને ક્યાંય શેર કરવામાં ન આવે અને સત્તાવાર નિવેદનને માન્ય ગણવામાં આવે.