બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Will open with evidence in Kirit Joshi murder case and Bitcoin case, builder Jitendra Goria makes fiery allegations
Vishal Khamar
Last Updated: 07:12 PM, 25 February 2023
જામનગરમાં ક્રાઇમની દુનિયામાં જયેશ પટેલે કાંઈ બાકી નથી રાખ્યું! કુખ્યાત જયેશ પટેલ વિરુદ્ધ ખૂન, ફાયરિંગ, ખોટી રીતે જમીન પડાવી પાડવાના ગુનાઓ, કાવતરાં, પુરાવાઓનો નાશ કરવો અને સરકારી જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્યારબાદ બહુચર્ચિત બીટકોઈન મામલાથી ચર્ચામાં આવેલી જામનગરની નિશા ગોંડલીયા પર વર્ષ 2019 માં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં પણ જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એટીએસની તપાસમાં જીતુ ગોરીયાએ જ ફાયરિંગ કરાવ્યાનુ ખુલ્યું હતુ. આ પ્રકરણમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામા આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે અને જયેશ પટેલ વિરુદ્ધ નગારે ઘા કરી આગામી સમયમાં જયેશ પટેલ અને તેના સાગરિતો સામે આગામી સમયમાં પુરાવા સાથે ફરિયાદની ચીમકી આપી છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે.
પત્રકાર પરિષદ યોજી અનેક ધગધગતા આરોપ લગાવ્યા
ખંભાળિયાના આરાધના નજીક જામનગરની નિશા ગોંડલીયા પર ત્રણ વર્ષ પહેલા બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં નિશા ગોંડલિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આ ફાયરિંગ ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે ચાર શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે ફાયરિંગ પ્રકરણનો તપાસ રિપોર્ટ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં એટીએસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે નિશાએ બિલ્ડર જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલો સાથે મળીને પોતાના પર આ ફાયરિંગ કરાવ્યું હતું. આ કાવતરું આગાઉથી જ ઘડી કાઢવામાં આવ્યું હોવા સહિતના અનેક ધડાકા ભડાકા થયા હતા. ત્યારબાદ જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલાએ કોર્ટમાંથી સ્ટે મેળવ્યા બાદ જીતેન્દ્ર ગોરીયાએ પત્રકાર પરિષદ યોજી અનેક ધગધગતા આરોપ લગાવ્યા હતા. જેમાં પોતાને ખોટો રીતે આ કેસમાં ફિટ કરી દીધાનો પણ દાવો કર્યો હતો.
મૌખિક નિવેદનોના આધારે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યોઃ જીતેન્દ્ર ગોરીયા
આ દરમિયાન જીતેન્દ્ર ગોરીયાએ જણાવ્યું હતું કે, ભુમાફિયા જયેશ પટેલે મારી કરોડોની કિંમતની જમીન, ફ્લેટ અને દુકાન પચાવી પાડી છે. ત્યારબાદ તેના વિરુધ્ધ હું કાંઈ પણ બોલી ન શકું તે માટે મને ખોટા કેસમાં ફિટ કરી દીધો છે. તેમને આક્ષેપ સાથે કહ્યું કે ભૂમાફિયા જયેશ પટેલ અને ધૃતિની નજરમાં શ્રીમંતો, જમીનદારો, બીલ્ડરો, વ્યાપારી તકલીફમાં હોય એવા લોકોને ટાર્ગેટ બનાવી જયેશ ભાડાના માણસો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી લોકોને ફસાવી જમીન અને રૂપિયા પડાવતો હતો. વધુમાં આગામી સમયમાં તેમણે આ મામલે પુરાવા સાથે ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું છે. જેમાં ભોગ બનેલા લોકોને બહાર આવવા અપીલ કરાઈ છે. તેમણે વધુમાં કહ્યું કે આરાધના ધામમાં થયેલ ફાયરિંગ પ્રકરણમાં મારુ કનેક્શન ન હોવા છતાં બે લોકોના મૌખિક નિવેદનોના આધારે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે.
નામ અને પુરાવા સહિત પેન ડ્રાઈવમાં મારા પુત્ર પાસે રાખેલ છેઃજીતેન્દ્ર ગોરિયા
આગામી દિવસોમાં જયેશ પટેલ તથા તેના સાગરીતો સામે ગુજરાત સરકારને રજુઆત કરશું અને ઉચ્ચ કક્ષાએ કેસને રી ઇન્વેસ્ટીગેશન કરવાની પણ માંગ કરવાનું જણાવ્યું છે. ત્યારબાદ કિરીટ જોષી મર્ડર કેસ અને બીટકોઈનના પ્રકરણમાં પણ અનેક ખુલાસા પુરાવા સાથે કરવામાં આવશે. એટલું જ નહીં જયેશ પટેલના સાથીઓ વેપારી, રાજકારણી તથા લુખ્ખાઓની લેવડ દેવડ જમીનના સોદા ક્યાંથી કેવી રીતે પેમેન્ટ આવેલ કોના હાથમાં આવેલ અને એ પેમેન્ટ ક્યાં માણસોને દબાવીને કઢાવેલ તેના પુરાવા પણ સરકાર, પોલીસ, ઈડી, ઇન્કમટેક્ષ અને મીડિયાને આપીશ તેવું જણાવ્યું હતું. સાથે સાથે એમ પણ કહ્યું કે જો મારું મર્ડર થાય તો તેના જવાબદાર જયેશ પટેલ, ધૃતિ રાણપરીયા અને ધર્મેશ રાણપરીયા, યશપાલ અને એક રાજકીય નેતા જ હશે. તેવું કહીને આ બધા નામ અને પુરાવા સહિત પેન ડ્રાઈવમાં મારા પુત્ર પાસે રાખેલ છે. તેમ અંતમાં જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army