પંચમહાલના ઘોઘંબાની જોરાપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કામ કરાવાયું હોવાનું પ્રકાશમાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળાની છત પર પતરાની સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે.
પંચમહાલમાં વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા
શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી થશે?
બાળકો પાસે અભ્યાસને બદલે કામ કેમ?
છાશવારે સ્કૂલમાં શિક્ષકો દ્વારા બાળકો પાસે કામ કરાવવાનો અથવા બાળકને માર મારવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે પંચમહાલના ઘોઘંબાની જોરાપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કામ કરાવાયું હોવાનું પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળાની છત પર પતરાની સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે. 15 ફૂટ ઉંચાઈએ આવેલા પતરા ઉપર વિદ્યાર્થીઓ પાસે સાવરણો લઈને સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે.
અમારી જવાબદારીઓ સાફ સફાઈ કરાવીએ છીએઃ આચાર્ય
ઘોઘંબાની જોરાપૂરા પ્રાથમિક શાળાના વિ઼દ્યાર્થીઓ પાસેથી જોખમી રીતે શાળાની છત પરના પતરા સાફ કરાવવામાં આવી હતી. 15 ફૂટ ઉંચાઈએ આવેલા પતરા ઉપર સાવરણો લઈ સફાઈ કરાવવામાં આવી રહી છે. આ બાબતે શાળાના આચાર્યને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમારી જવાબદારી ઉપર સાફ સફાઈ કરાવીએ છીએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શાળામાં સફાઈ માટે અમને કોઈ વ્યવસ્થા આપવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ પાસે અન્ય સફાઈની પ્રવૃતિ કરાવવીએ સામાન્ય બાબત છે. ત્યારે વિદ્યાર્થીઓને પતરાની છત ઉપર મોકલી સફાઈ કરાવવી કેટલું વ્યાજબી છે.?
થોડા દિવસ અગાઉ રાજકોટમાં વીડિયો વાયરલ થયો હતો
થોડા દિવસ અગાઉ રાજકોટના કોઠારિયાની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ અંગેનો વીડિયો વાયરલ થતા વહીવટી તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આચાર્યની હાજરીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઈંટો ઉપાડવામાં આવતા સમગ્ર વીડીયોએ શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી.