જ્યારથી મે મહિનાની શરૂઆત થઇ છે, ત્યારથી કોરોના વાયરસના મામલામાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત પછી હવે દિલ્હીમા કોરોના વાયરસના મામલામાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ દાવો કર્યો હતો કે, જૂનમાં ભારતના કોરોના કેસ ચરમસીમા પર પહોંચી શકે છે. જોકે આ દાવા પર સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જવાબ આપવામા આવ્યો છે.
શું જૂનમાં ઉચ્ચતમ સ્તર પર હશે કોરોનાના કેસ, હવે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આવ્યુ નિવેદન
દિલ્હીના AIIMS ના ડિરેક્ટરના નિવદેન પર સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, બચાવ કરવો જરૂરી
દેશમાં 16540 લોકો COVID 19 ની બિમારીથી ઠીક થયા છે, જ્યારે 37916 દર્દી સારવાર હેઠળ છે
42 જિલ્લામાં 28 દિવસથી, 29 જિલ્લામાં 21 દિવસથી અને 36 જિલ્લામાં 14 દિવસથી કોઇ કોરોના નવા કેસ નથી
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લગ અગ્રવાલે કહ્યુ કે, જો આપણે જરૂરી સાવધાનીઓ અને આવશ્યક આદેશોનું પાલન કરીશું તો કોરોના વાયરસના મામલાને ચરમસીમા સુધી પહોંચતા રોકી શકીશું. જો આવશ્યક સાવધાનીઓનું ધ્યાન નહી રાખવામાં આવે અને આદેશોનું પાલન નહી કરવામાં આવે તો આ મામલામાં ઝડપથી વધારો થઇ શકે છે.
AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે, ''કોરોનાના કેસ જૂનમાં પીક ઉપર હશે. ક્યા સુધી કોરોનાના કેસ આવશે? કેટલું લાંબુ ચાલશે? તે અત્યારથી ન કહી શકાય. પરંતુ એ વાત નક્કી છે કે પીક ઉપર કોઈ વસ્તુ હોય તો તે ત્યાંથી ઘટાડો થવાની શરૂઆત પણ થાય છે. હવે આશા એજ કરીએ કે જૂનમાં પીક પર હશે, ત્યાર પછી કેસમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થશે.''
આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ કે, ''દેશભરમાં અત્યાર સુધી 16540 લોકો cOVID 19 ની બિમારીથી ઠીક થયા છે જ્યારે 37916 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ સિવાય સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ સારી વાત છે. કોરોનામાં દેશનો રિકવરી રેટ 29 % થી વધારે છે. 42 જિલ્લામાં છેલ્લા 28 દિવસથી નવો કેસ આવ્યો નથી. હોસ્પિટલમાં દાખલ લોકોમાંથી દર ત્રણ દિવસમાં એક સાજો થઈ રહ્યો છે. ''