દરેક ગૃહલક્ષ્મીની એવી કામના હોય છે કે અષ્ટલક્ષ્મી એમના ઘરમાં વાસ કરે. એના માટે એ પોતાના ઘર ગૃહસ્થીમાં સેવિંગને ખૂબ જ મહત્વ આપે છે. દરેક સ્ટેપ સમજી વિચારીને ઊઠાવે છે. કેટલીક વખત પરિસ્થિતિ એવી થઇ જાય છે કે બે ટાઇમ જમવાનું પણ મુશ્કેલ પડે છે. જ્યોતિષોનુસાર એક એવો ઉપાય છે જેને કોઇ પત્ની પોતાના પતિથી છુપાલીને માત્રને માત્ર મંગળવારે કરશે તો વેપારમં તરક્કી થવા લાગશે જોબમાં પણ પ્રમોશન મળશે. આ ઉપાયને માત્ર સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિ માટે કરી શકે છે. ચલો જાણીએ એની વિધિ.
મંગળવારે સવારે ગૃહલક્ષ્મી જ્યારે જમીન પર પહેવો પગ મૂકે તો કલ્પના કરો અષ્ટલક્ષ્મી અને હનુમાનજી એમની સાથે છે. શુદ્ધ થઇને પીપળાના ઝાડ પર પાણી અર્પિત કરો પછી 3 આખા પાન તોડીને ઘરના મંદિરમાં હનુમાનજીની સામે રાખો દરેક પાન પર એક એક સિક્કા અને ચોખાનો એક એક દાણો મૂકો. સાથે કુમકુમ હળદર અને અબીરથી પૂજન કરતાં જાવ. ગુલાબની સુગંધ વાળી 5 અગરબત્તી લગાવો. અંતમાં હનુમાનજી ની આરતી કરો.
બધી સામગ્રીને એ હનુમાનજીની પાસે પડી રહેવા દો. સાંજે પુન:પવનપુત્રની સામે દીપક પ્રગટાવો અને આરતી કરો. હવે પાન પર રાખેલા ચોખાના 3 દાણાને ઊઠાવીને ખાનગીમાં પતિના પર્સમાં મૂકી દો. ધ્યાનમાં રહે કે મંગળવારે પતિને આ માટે કોઇ વાત ના કરો અને ના તો પતિને ખબર પડવી જોઇએ. બુધવારે સવારે એમને મંગળવારે કરેલા પૂજન માટે જણાવી દો. હંમેશા આ 3 ચોખાના દાણા પોતાના પર્સમાં રાખવાનું કહો.
આ ઉપાયનો પ્રભાવથી તમારા પતિ ખૂબ જ તરક્કી કરશે. એમનો ઠપ પડેલું ભાગ્ય સફળતા તરફ પોતાનંુ પગલું ભરશે.