બહુજન સમાજ પાર્ટી (બસપા)એ સોશિયલ મીડિયાને લઇને પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. બસપા સુપ્રીમો માયાવતી હવે ખુદ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર આવી ગયેલ છે. મીડિયાથી અંતર બનાવી રાખવાનો બસપાનો ઇતિહાસ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ હજી સુધી ન તો પાર્ટીનાં કોઇ મોટા નેતાનું ટ્વિટર એકાઉન્ટ ઉપલબ્ધ હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આરજેડી નેતા તેજસ્વી યાદવનાં કહેવા પર માયાવતીએ ટ્વિટર પર આવવાનો નિર્ણય કર્યો છે.
માયાવતીને ટ્રોલ કરનારા ચેતી જજોઃ
માયાવતીનું આ એકાઉન્ટ ઓક્ટોમ્બર 2018માં જ બનાવવામાં આવ્યું હતું પરંતુ જાન્યુઆરી સુધી આનાં પર કોઇ જ ટ્વિટ ન હોતું. 22 જાન્યુઆરીનાં રોજ તેઓએ પહેલું ટ્વિટ કર્યું "નમસ્કાર ભાઇઓ-બહેનો પૂરા સમ્માન સાથે હું આપ સૌ સમક્ષ ટ્વિટર પર પગલું મૂકી રહી છું.
આ મારું પ્રથમ ટ્વિટ છે. @sushrimayawati મારું ઓફિસીયલ એકાઉન્ટ છે અને અહીંથી જ મેં ભવિષ્યમાં આપ સૌ સાથે સંપર્ક કરીશ. ધન્યવાદ." માયાવતીનાં આ એકાઉન્ટને અત્યાર સુધી લગભગ 50 હજાર લોકો ફોલો કરી ચૂક્યાં છે.
ધ્યાન રાખવા જેવી બાબત તો એ છે કે માયાવતીનાં ટ્વિટર એકાઉન્ટથી કરવામાં આવેલ કુલ 12 ટ્વિટ્સનાં રિપ્લાયમાં સતત અસમ્માનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્વિટર યૂઝર્સ સતત તેઓ ભણેલા ન હોવાંથી લઇને તેઓની ટ્વિટર ડીપીનો મજાક ઉડાવી રહેલ છે.
જો કે ટ્વિટર ઉપયોગ કરનારા આવા ટ્રોલ એ નથી જાણતા કે આને માટે તેમને જેલની હવા પણ ખાવી પડી શકે. દિલ્હી હાઇકોર્ટનાં વકીલ શૈલેન્દ્ર પ્રતાપ સિંહને અનુસાર જો માયાવતી વિરૂદ્ધ ટ્વિટર પણ પણ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તો તે સીધી રીતે એસસી-એસટી એટ્રોસિટી એક્ટનો મામલો બની જાય છે.
સાઇબર એક્સપર્ટ અનુસાર આવાં મામલાઓમાં આઇટી એક્ટ આઇપીસી અને સીઆરપીસી ત્રણેયને આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે. ટ્રોલિંગનાં મામલામાં તો જો એસસી-એસટી એક્ટ કોર્ટમાં સાબિત ના પણ થાય તો ટ્રોલિંગ અને હેરેસમેન્ટ માટે આઇટી એક્ટ અંતર્ગત આપને સજા થઇ શકે છે.