આરએનએના અંશ ડીએનએમાં ભળી રહ્યાં હોવાને કારણે ફરી વાર કોરોના થાય છે
8 ટકા ડીએનએ વાયરસના અંશ જોડાયેલા હોય છે
વ્હાઈટહેડ ઈન્સ્ટીટ્યુટ મેમ્બર અને એમઆઈટીમાં બાયોલોજી વિભાગના પ્રોફેસર રૃડોલ્ફ જૈનિશે ખુલાસો કર્યો કે કોરોનાના આરએનએ આપણા શરીરના કોષોના જીનોમ સાથે જોડાઈ જાય છે. તેને રિવર્સ ટ્રાંસક્રિપ્શન કહેવાય છે. એવા જીનોમને આરએએ માટેના પીસીઆર ટેસ્ટમાં પકડાઈ જાય છે. ફક્ત કોરોના એક જ એવો વાયરસ નથી કે જે માણસોના જીનોમ સાથે જોડાતો હોય. પરંતુ બીજા પણ ઘણા એવા વાયરસ છે જે આ કામ કરે છે.
મનુષ્ય શરીરમાં 8 ટકા ડીએનએ એવા હોય છે જેમાં પ્રાચીન વાયરસના અંશ જોડાયેલા હોય છે. તેને રેટ્રોવાયરસ કહેવાય છે. આ મનુષ્યોના જીનોમ સાથે જોડાઈને પોતાનો વંશ આગળ વધારી રહ્યાં છે. વ્હાઈટ હેડ ઈન્સ્ટીટ્યુટના પોસ્ટ ડોક્ટોરલ ફોલ અને આ સ્ટડીના પહેલા લેખક લિગુઓ ઝાંગ જણાવે છે કે કોરોના કોઈ રેટ્રોવાયરસ નથી.
પ્રયોગશાળામાં તપાસ કર્યા બાદ રૃડોલ્ફ અને તેમની ટીમે કોરોનાના દર્દીઓની જેનેટિક સિક્વંસ રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમાં એવી પણ જાણકારી મળી છે કે શરીરના કોષોની અંદર હાજર ડીએનએ થી વાયરસના જેનેટિક મટિરિયલ ચોંટેલા હોય છે. કોરોનાના જેનેટિક મટિરિયલ એટલે કે આરએનએની માત્રા દરેક મનુષ્યમાં અલગ અલગ હોય છે.
કારણ કે હાલમાં દેશમાં 4 લાખ કરતા પણ વધારે કેસો આવી રહ્યાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કોરોનાના આંકડાઓને ઓછા કરીને દેખાડવામાં આવી રહ્યાં છે કારણ કે દેશના સ્મશાન સ્થળો પર લાશોના અંતિમ સંસ્કાર માટે મોટી મોટી લાઈનો લાગી છે. સરકારનો લોકડાઉનનો પણ કોઈ ઈરાદો લાગતો નથી જોકે કોરોનાની ચેન તોડવા માટે રાજ્ય સરકારો દ્વારા કડક પ્રતિબંધો લાગુ પાડવામાં આવ્યાં છે.
કોરોનાની મોતના આંકડા પહેલીવાર 4 હજારને પાર થઈ ગયા છે. શુક્રવારે પોઝિટિવ કેસની સંખ્યા 4 લાખ 1 હજાર 228 રહ્યી ત્યાં 4, 191 રેકોર્ડ બ્રેક દર્દીઓના જીવ ગયા છે. 25 દિવસમાં રોજના મરનારાની સંખ્યા 1 હજારથી 4 હજારને પાર થઈ છે. આ પહેલા 13 એપ્રિલે મોતની સંખ્યા 1 હજારને પાર થઈ હતી. જે 20 એપ્રિલે 2 હજાર અને 27 એપ્રિલે 3 હજારને પાર થઈ હતી. કંઈક મળીને જોઈએ તો મોતની સંખ્યામાં 14 દિવસમાં 3 હજારે પહોંચી જ્યારે 4 હજાર પહોંચવામાં 10 દિવસનો સમય લાગ્યો છે.