હિન્દુઓમાં ભગવાનની આરતી કરવાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ ભગવાનની આરતી કરતી વખતે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને આરતી કેવી રીતે કરવી જોઈએ.
હિન્દુ ધર્મમાં આરતીનું હોય છે ખાસ મહત્વ
સાચી રીત આરતીની શું છે જાણો અહિ
આરતી સમયે પુરા મનથી ભજો ભગવાનને
દરેક ઘરમાં સવાર-સાંજ ભગવાનની આરતી કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં ભગવાનની આરતી કરવાનું વિશેષ મહત્વ છે. કોઈ પણ પૂજા આરતી વગર પૂર્ણ માનવામાં આવતી નથી. લગભગ દરેક ઘરમાં સવાર-સાંજ ભગવાનની આરતી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આરતી કરીને લોકો આરતી ઉપર હાથ ફેરવીને ભગવાનને બતાવે છે અને પછી પોતાના ઉપરથી હાથ ફેરવે છે. આવો જાણીએ આરતી સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ વિશે.
આરતી ફેરવવાની સાચી રીત કઈ છે ?
ભગવાનની આરતી કરતી વખતે કેવી રીતે અને કેટલા દીવા ફેરવવામાં આવે છે તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકોને ખબર નથી હોતી કે આરતીની શરૂઆત હંમેશા ભગવાનના ચરણોથી જ થવી જોઈએ. 4 વખત આરતીને સીધી દિશામાં ફેરવવી જોઈએ અને પછી ભગવાનની નાભિની આરતી 2 વખત ઉતારવી જોઈએ. આ પછી ભગવાનના મુખની આરતી 7 વખત ઉતારવી જોઈએ.
આરતી કેમ લેવી
ભગવાનની આરતી થયા બાદ ભક્તો બંને હાથથી આરતી લે છે. આ દરમિયાન 2 ભાવ જોડાયેલ હોય છે, જેનો પહેલો ભાવ દીવાની જ્વાળાએ આપણને મનમોહક આવું સુંદર દ્રશ્ય દેખાડ્યું છે, તેને આપણે મસ્તિસ્ક પર ધારણ કરશું. બીજું, જે દીવાની વાટ (દિવેટ) જેણે ભગવાન અરિષ્ટ દુર કર્યા , તે દીવો આપણે તેને આપણા માથે ધારણ કરીએ છીએ. આરતી લેવાનો સાચો રસ્તો એ છે કે પહેલા મસ્તક નમાવો અને પછી તે આરતીની જ્યોત તમારા માથા પર ફેરવો.
આરતી કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાતો
ધાર્મિક વિશેષજ્ઞોનું કહેવું છે કે આરતી કરતી વખતે કોશિશ કરવી જોઈએ કે તમે જે પણ બોલી રહ્યા છો, તેનું ઉચ્ચારણ યોગ્ય હોય. સાથે જ આરતી દરમિયાન બીજી કોઈ બાબત વિશે પણ વિચારશો નહીં. ખાસ કરીને તમારું ધ્યાન મોબાઈલ ફોનથી દૂર લઈ જાઓ અને એકાગ્રતાથી 5 મિનિટ સુધી ભગવાનની આરતી કરો.