5 સપ્ટેમ્બરના શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે દિકારને જન્મ આપ્યો. શાહિદ અને મીરાએ પોતાના દિકરાનું નામ ઝૈન રાખ્યું છે. ઝૈન કપૂરને મિત્રો પરિવારના લોકો અને ફેન્સની તરફથી અનેક શુભકામનાઓ અને ગિફ્ટ્સ મળી રહી છે.
શાહિદ કપૂર અને મીરા રાજપૂત ફેન્સના આ પ્રેમથી ખૂબ જ ખુશ છે પણ તેણે લોકોએે એક વિનંતી કરી છે. મીરાએ પોતાના સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મેસેજ લઇને લોકોને અપીલ કરી છે.
મીરાએ લખ્યુ છે કે ઝૈન માટે ગિફ્ટ્સ મોકલવા બદલ તમારો અભાર અમારી પાસે જ છે તે દરેક વસ્તુ માટે ખૂબ જ આભારી છીએ પરંતુ એવા ઘણા પરિવાર અને બાળકો છે જે ખરેખરમાં જરૂરિયામંદ છે. પ્લીઝ તમારા ગિફ્ટ્સ એવા બાળકોને મોકલો જેને વધારે જરૂર છે.
તો બીજી તરફ શાહિદ કપૂરે તાજેતરમાં ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યુ કે ઝૈન હમણાં જ ઘરે આવ્યો છે મીશા બીમાર છે. આ કારણે પ્રમોશન માટે પણ નથી જઇ શક્યો. 'બત્તી ગુલ મીટર ચાલુ' ફિલ્મને 9 દિવસની વાર છે પરંતુ પેરેન્ટ હોવું સૌથી પહેલા છે.
The last few days have been tough. Misha running very high fever and Zain just came home. Have had to miss some promotions. Just 9 days to go for Batti Gul meter chalu to release but being a parent is above all else. Hope to resume promotions very soon.