શું તમે ક્યારેય વિચાર્યુ છે કે નવા દંપત્તિ પતિ-પત્નીને પહેલી રાત્રે એટલેકે સુહાગ રાતના દિવસે દૂધ કેમ પીવડાવવામાં આવે છે? લગ્ન બાદ મોટાભાગના દંપત્તિ આ પરંપરા નિભાવે છે.
સુહાગ રાતે નવા દંપત્તિને કેમ દૂધ પીવડાવવામાં આવે છે?
લગ્ન બાદ મોટાભાગના દંપત્તિ નિભાવે છે આ પરંપરા
જાણો આ દૂધ કેવીરીતે બનાવવામાં આવે છે
સુહાગ રાતે પતિને કેમ દૂધ પીવડાવવામાં આવે છે?
જેની પાછળ ઘણા પ્રકારના લોજિક જણાવવામાં આવે છે, ઘણા લોકો કહે છે કે તેનાથી સેક્સ પાવર વધે છે. તો ઘણા લોકો માને છે કે ઉંઘ સારી આવવા માટે રાત્રે દૂધ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આખરે તેની પાછળનું અસલી કારણ શું છે. તમે વરરાજાને એક ગ્લાસ કેસરવાળું દૂધ પીવડાવવાની પરંપરાને ઘણી ફિલ્મો, ટીવી સીરિયલમાં જોઇ હશે. અથવા પછી બની શકે કે ખાનગી જીવનમાં પણ તમને તેનો અનુભવ રહ્યો હોય. પરંતુ આ પરંપરાને નિભાવવા પાછળનું કારણ શું છે.
સ્પેશિયલ હોય છે દૂધ
સૌથી પહેલા જણાવવાનું કે આ દૂધ કેવીરીતે બનાવવામાં આવે છે. આ દૂધ સામાન્ય નથી. પરંતુ તેમાં કેસર, ખાંડ, હળદર, કાળા મરચુ પાઉડર, બદામ, વરિયાળી અને અન્ય વસ્તુઓ નાખીને ઉકાળવામાં આવે છે અને પછી ગરમ થાય ત્યારે વરરાજાને પીવડાવવામાં આવે છે.
દૂધ પીવડાવવા પાછળનું કારણ
મીડિયા રિપોર્ટ મુજબ, જ્યારે દૂધને ઉકાળવામાં આવે છે તો તેમાંથી કેટલાંક એવા તત્વ નિકળે છે, જે રોમાન્સ વધારવામાં મદદ કરે છે. માનવામાં આવે છે કે દૂધને પીવાથી નર્વસનેસ ઓછી થઇ જાય છે અને જોશ અને ઉત્સાહમાં વધારો થાય છે.