ફુડ પોઇઝનિંગના કારણે દર વર્ષે કેટલાય લોકો મૃત્યુ પામે છે. ખોરાકમાં ભેળસેળના કારણે, તો ક્યારેક પડીકાં ખાવાથી તો ક્યારેક લગ્ન સમારંભોમા જમવાથી. ફુડ પોઇઝનિંગના લીધે ઝાડા-ઉલ્ટી, પેટનો દુખાવો અને ક્યારેક તો મૃત્યુ સુધીના કિસ્સા બને છે.
ફુડ પોઇઝનિંગના લીધે ઝાડા-ઉલ્ટી, પેટનો દુખાવો અને ક્યારેક તો મૃત્યુ સુધીના કિસ્સા બને છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે ખોરાક અને પાણીજન્ય રોગો વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી આરોગ્યની સમસ્યા છે
જે દિવસે તમારુ પેટ બગડે છે તે દિવસે તમારુ મગજ પણ કામ કરતુ બંધ થઇ જાય છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે ખોરાક અને પાણીજન્ય રોગો વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી આરોગ્યની સમસ્યા છે. દર વર્ષે અંદાજે છ કરોડ લોકો ઝેરી ખોરાકના કારણે બિમાર પડે છે, તેમાંથી ચાર કરોડથી વધુ લોકો જીવ ગુમાવે છે. રિપોર્ટ અનુસાર ભારત વિશ્વમાં બીજા ક્રમાંકે છે. મોટાભાગના રોગો પેટથી શરુ થાય છે. વડીલો કહેતા જેનું પેટ બગડે તેનો દિવસ બગડે. સાયન્સે પણ પેટને બ્રેઇન સાથે સરખાવ્યુ છે.
જે દિવસે તમારુ પેટ બગડે છે તે દિવસે તમારુ મગજ પણ કામ કરતુ બંધ થઇ જાય છે. પેટ આંતરડામાં પ્રસરતા સારા ખરાબ બેક્ટેરિયાને કન્ટ્રોલ કરે છે. તેથી તેની કાળજી લેવી ખુબ જરુરી છે. રાંધેલો ખોરાક પેટમાં ગયા પછી જે તકલીફ ઉભી થાય છે તેને ફુડ પોઇઝનિંગ કહેવાય છે. ફુડ પોઇઝનિંગનુ મુખ્ય કારણ અનહાઇજેનિક ફુડ છે. રસોઇ બનાવતી વખતે દાખવેલી બેદરકારી, ઓપન પ્લેસ પર મુકેલા ખુલ્લા ભોજન, બગડેલા દુધમાંથી બનાવવામાં આવેલા પનીર અને અન્ય દુધની બનાવટો આરોગવાથી ફુડ પોઇઝનિંગ થઇ શકે છે.
ચાઇનીઝ ફુડ છે જોખમી
ચીનની પ્રોડક્ટ્સ જ નહીં, પરંતુ ફુડ પણ જોખમી છે. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ ચીનમાં દર વર્ષે થતા કુલ મૃત્યુમાંથી 31 ટકા લોકો ફુડ પોઇઝનિંગના કારણે મૃત્યુ પામે છે. તેમાં દર વર્ષે 24 ટકાનો વધારો થઇ રહ્યો છે. આ આંકડો જાણ્યા બાદ ચાઇનીઝ ફુડના શોખીનોએ વહેલી તકે જાગી જવાની જરુર છે. રેસ્ટોરાંમા મળતા ચાઇનીઝ ફુડમાં સોડિયમ, સ્ટાર્ચ, કોર્ન સ્ટાર્ચ, ફુડ કલર્સ અને મેંદાનુ પ્રમાણ ખુબ વધુ હોય છે. તે હાઇપરટેન્શન, ઓબેસિટી અને હ્રદય રોગ તરફ દોરી જાય છે. ચાઇનીઝ વાનગીઓ ઇન્ટરનેશનલ ગાઇડલાઇન સાથે મેચ થતી નથી. જો તમે ઘરે વેજિટેબલ્સમાંથી અને ચોખામાંથી આરોગ્યપ્રદ ચાઇનીઝ વાનગીઓ બનાવી હોય તો તે સ્વાસ્થ્યપ્રદ બની શકે છે.