પંચમહાલ જિલ્લામાં નર્મદા કેનાલમાં કેટલાક યુવાનો એક પછી એક છલાંગ લગાવી રહ્યાં છે. એક પછી એક 4 યુવકોએ કેનાલમાં છલાંગ લગાવી હતી. જેનો કોઈએ વીડિયો ઉતાર્યો હતો. જેને લઈને અનેક ચર્ચા જાગી છે કે આ યુવાનો કેમ એક પછી એક છલાંગ લગાવી રહ્યાં છે?
પંચમહાલનાં એક ગામનાં 4 યુવકોની કેનાલમાં છલાંગ
ચારેય યુવકો મિત્રો છે અને તેઓએ વારા ફરથી કેનાલમાં છલાંગ મારી હતી
ચારેય યુવકોને છલાંગ મારતો વીડિયો વાઈરલ થયો
ચાર યુવકોએ કેનાલમાં એક પછી એક છલાંગ લગાવી
પંચમહાલમાં કેનાલમાં ચાર યુવકોએ એક પછી એક છલાંગ લગાવી હતી. ત્યારે આ ચારેય યુવકોનો અન્ય એક મિત્ર આ દ્રશ્યનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો એ બાદ વાઈરલ પણ થયો હતો. વીડિયોની તપાસ કરતાં સામે આવ્યું હતું કે આ છલાંગ સામુહિક આત્મહત્યા માટે નહી પણ મોજ મસ્તી માટે લગાવવામાં આવી રહી હતી. આ કેનાલ કાલોલની બોરુની કેનાલ છે. તેમજ છલાંગ લગાવનારા યુવકો તેની આસપાસનાં ગામનાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એક જવાબદાર મીડિયા તરીકે વીટીવી વેબસાઈટ તમામ વાચકોને અપીલ કરે છે કે જેમાં જીવનું જોખમ હોય તેવા કોઈ પણ સ્ટંટ કરવાનું ટાળો. તમારી જીંદગી અમુલ્ય છે. તેને રોમાંચથી ભરી દેવા માટે અનેક પ્રવૃત્તિઓ છે જે તમારા મોજ મસ્તી માટે અને બૌદ્ધીક વિકાસ માટે મદદરુપ થઈ શકે છે. તમે આ પ્રકારનાં સ્ટંટ કરીને તમારો જીવ અને પરિવારનાં તમારી સાથેનાં અરમાનોને જોખમમાં મુકી રહ્યાં છો. વીટીવી આ વીડિયો માત્ર તમને જાણકારી આપવા માટે પબ્લિસ કરી રહી છે. અમે આ પ્રકારનાં વીડિયો તે સ્ટંટને પ્રોત્સાહન નથી આપી રહ્યાં.