હિંદુ ધર્મમાં મંદિરોના ઘટનું ખૂબ મહત્વ માનવામાં આવ્યું છે. મંદિરમાં વાગતા ઘંટના અવાજને શુભ માનવામાં આવે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ મંદિરમાં ભગવાનના દર્શન માટે જાય છે તો ઘંટ વગાડીને જ જાય છે. આજે અમે તમને જણાવીશું કે ઘંટ વગાડતા પહેલા કયા મંત્રનો જાપ કરવો જોઇએ અને એનું કેટલું મહત્વ હોય છે.
મંદિરમાં ઘંટ વગાડવા પાછળ માત્ર ધાર્મિક કારણ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે પણ ઘંટ વગાડવામાં આવે છે તો વાતાવરણમાં જે ધ્રુજારી પેદા થાય છે એનો અવાજ વાયુમંડળના કારણે ખૂબ દૂર સુધી જાય છે. આ ધ્રુજારીનો ફાયદો થાય છે કે એની આસપાસના વિસ્તારમાં આવનારા દરેક જીવાણુસ વિષાણુ અને સૂક્ષ્મ જીવ વગેરે નષ્ટ થઇ જાય છે. જેનાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થઇ જાય છે. જે સ્થાનો પર ઘંટનો અવાજ નિયમિત આવે છે ત્યાંનુા વાતાવરણ હંમેશા શુદ્ધ અને પવિત્ર બનેલું રહે છે. એનાથી નકારાત્મકતા દૂર થવાથી સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે
માન્યતા છે રે ભગવાનને નિંદ્રામાંથી ઊઠાડવા માટે ઘંટ વગાડવામાં આવે છે અને ત્યારબાદ જ વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ઘંટનો અવાજ મગજ માથાને અધ્યાત્મ ભાવની તરફ લઇ જાય છે. ઘંટનો લય સાંભળીને મનમાં શાંતિનો અનુભવ થાય છે. સવારે અને સાંજે જ્યારે પણ મંદિરમાં પૂજા અથવા આરતી થાય છે તો સાથે જ ઘંટ વગાડવામાં આવે છે.
અથવા તો હે નાથી હું આ ઘંટ વગાડીને તમને યાદ કરી રહ્યો છું અને તમારું આહ્વન કરું છું કારણ કે મારા ઘર પરિવારથી નકારાતમ્ક શક્તિઓ દૂર થાય અને સારી શક્તિઓ મારા મન અને ઘરમાં વાસ કરે.
એક પૈરાણિક મત અનુસાપ જ્યારે સંસારનો પ્રારંભ થયો. ત્યારે જે અવાજ ગૂંજ્યો હતો એ અવાજ ઘંટ વગાડવા પર પણ આવે છે. એટલા માટે ઘંટને એ અવાજનું પ્રતીક માનવામાં આવે છે. જે કારણે ઘંટ વગાડવાની પ્રથા બની.