પરિણામ જાહેર થવાને માત્ર ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે દેશના સૌ કોઈ નાગરિકના મનમાં પરિણામને લઈને ઉત્સુકતા છે કે આખરે દેશની ગાદી પર કોણ બિરાજમાન થશે જો કે એગ્ઝિટ પોલે તો દેશની ગાદી પર નરેન્દ્ર મોદીને બિરાજમાન કરી જ દીધા છે..પરંતુ તેમ છતાં પરિણામોની રાહ તો જોવી જ રહી..પરિણામમાં જો સૌથી મોટા પરિબળ ભજવનારા રાજ્યો હશે તો તે યુપી અને હિંદી બેલ્ટના રાજ્યો હશે...આમ તો યુપીના પરિણામથી જ દેશની ગાદી પણ કોણ બેસશે તે નકકી થતું હોય છે તેમ છતાં પણ આ વખતે તે સિવાયમાં અન્ય ફેક્ટરો પરિણામ પર અસર કરી શકે છે..ત્યારે આખરે સવાલ એ છે કે શું પરિણામમાં એગ્ઝિટપોલ સાચા ઠરશે? પરિણામો પર મોદી લહેર હાવિ થશે ખરી? કે પછી રાહુલ ગાંધીનું નેતૃત્ત્વ રંગ લાવશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન..