WHOએ કહ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેરના ઝડપથી ફેલાવવામાં અનેક સંભવિત વાતો જેમકે ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં લોકોની ભીડ અને એકમેકને મળવું તે જવાબદાર રહ્યું છે.
ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલી કોરોનાની બીજી લહેર
WHOએ આપ્યું આ કારણ
ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં લોકોની ભીડ જવાબદાર
WHOએ બુધવારે મહામારી સંબંધિત એક સાપ્તાહિક કોરોનાના રિપોર્ટમાં કહ્યું કે કોરોના વાયરસ બી.1.617 સ્વરૂપ સૌથી પહેલા ઓક્ટોબર 2020માં આવ્યું હતું. તેના આધારે ભારતમાં કોરોનાના વધતા કેસ અને મોતના વાયરસના બી.1.617 સ્વરૂપ સહિત અન્ય અનેક સ્વરૂપની ભૂમિકાને લઈને સવાલો ઊભા થયા છે.
આ કારણોથી બીજી લહેરમાં આવ્યો વેગઃ WHO
રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ભારતની સ્થિતિને લઈને હાલમાં સંશોધન કરાયું છે. દેશમાં કોરોનાની બીજી લહેરમાં વધારામાં અનેક કારણો જવાબદાર છે. જેમાં સાર્સ-સીઓવી-2ના અનેક સ્વરૂપનો ફેલાવો મુખ્ય પરિબળ છે. આ રીતે અનેક ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં ભારે ભીડના કારણે સામાજિક રીતે લોકોનો મેળ મિલાપ પણ વધ્યો છે.
આ સિવાય જન સ્વાસ્થ્ય અને સામાજિક ઉપાયોના પાલનમાં પણ ઘટાડો થવો અને સાથે બેજવાબદારી પણ આજની સ્થિતિ માટે જવાબદાર છે. ભારતમાં વાયરસના પ્રસારમાં વધારા માટે આ દરેક બાબતોમાંથી દરેક માટે કોઈને કોઈ પાસું જવાબદાર રહ્યું છે. પણ કોની ભાગીદારી કેટલી છે તે સમજવું મુશ્કેલ છે.
ભારતમાં સતત વકરતો જતો કોરોના
એક દિવસના નવા કેસ 3 લાખ 62 હજાર 389 નોંધાયા છે અને સાથે જ ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 37 લાખ 6 હજાર 105 પહોંચી ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં રિકવર દર્દીની સંખ્યા 3 લાખ 51 હજાર 740 થઈ છે તો સાથે દેશમાં એક દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક 4 હજાર 127 નોંધાયો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 લાખ 58 હજાર 352 થયો છે.