પ્લાઝમા થેરેપી બાદ હવે રેમડેસિવીર ઇન્જેકશન કોરોના સારવારમાં રાહત આપે છે તેવા કોઈ પુરાવા ન હોવાથી તેને પણ હટાવી દેવામાં આવ્યું
રેમડેસીવીર ઇન્જેકશનને કોરોના દર્દીની સારવાર સાથે જોડાયેલ પ્રોટોકોલની યાદીમાંથી હટાવાયું
ઇન્જેકશનની સારી અસર થતી હોય તેવા કોઈ પણ પુરાવા છે જ નહીં
આ પહેલા દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડી.એસ. રાણાએ પર આપ્યું હતું નિવેદન
રેમડેસીવીર ઇન્જેકશનને કોરોના દર્દીની સારવાર સાથે જોડાયેલ પ્રોટોકોલની યાદીમાંથી હટાવાયું
દેશ અને દુનિયામાં આવેલી કોરોનાની બીજી લહેરના પ્રકોપ વચ્ચે રેમડેસીવીરને લઈ ઘણા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં ઘણા સમય સુધી રેમડેસિવીરને કોરોનાના દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવતી હતી અને રેમડેસીવીર ઇન્જેકશનને લઈ ભારતમાં ઘણી અફરા-તફરી મચી. કહેવામાં આવતું કે આ ઇન્જેકશનના કારણે જ દર્દીઓનો જીવ બચે છે. પણ હવે WHO એ રેમડેસીવીર ઇન્જેકશનને કોરોના દર્દીની સારવાર સાથે જોડાયેલ પ્રોટોકોલની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે.
ઇન્જેકશનની સારી અસર થતી હોય તેવા કોઈ પણ પુરાવા છે જ નહીં
એક રિપોર્ટ અનુસાર WHO એ રેમડેસીવીર ઇન્જેકશનને કોરોના દર્દીની સારવાર સાથે જોડાયેલ પ્રોટોકોલની યાદીમાંથી દૂર કરી દેવામાં આવી છે. આ નિર્ણય લીધા પહેલા WHOએ કોરોના દર્દીની સારવાર દરમ્યાન ઉપયોગ કરતા સમયે ચેતવણી પણ આપી હતી. અચરજની વાત એ છે કે WHO કહ્યું તે પહેલાથી ભારત સહિત ઘણા દેશોમાં આ ઇન્જેકશનનો ઉપયોગ થઈ રહયો હતો.
આ પહેલા દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડી.એસ. રાણાએ પર આપ્યું હતું નિવેદન
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડી.એસ. રાણાએ કહ્યું છે કે આ દવા કોરોના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ આવી શકે છે. ANI મુજબ ડૉક્ટર રાણાએ કહ્યું છે કે આ વાતના કોઈ જ પુરાવા નથી કે આ ઇન્જેકશનના લીધે દર્દીને કોઈ પ્રકારની રાહત મળે છે. તેમણે કહ્યું હતું કે સારવારને લઈને વાત સમજીએ તો કોરોના દર્દીની સારવાર માટે વપરાતા આ ઇન્જેકશન સારી અસર થતી હોય તેવા કોઈ પણ પુરાવા છે જ નહીં. એવામાં જે દવાઓ અસર નથી કરતી તેને બંધ કરવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે હાલમાં માત્ર ત્રણ જ દવાઓ અસર કરે છે. ડૉ. ડી.એસ. રાણાનું નિવેદન એવા સમયમાં સામે આવ્યું છે જ્યારે આખા દેશના લોકોએ આ ઇન્જેકશન લેવા માટે ઘણી મહેનત કરી. આ દવા કાળા બજારમાં પણ વહેંચાઈ અને લોકોએ તેના માટે 5 ગણા પૈસા પણ ચુકવ્યા, સાથે જ બજારમાં નકલી ઇન્જેક્શનો પણ આવી ગયા હતા.