દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં આપ અને ભાજપે 70 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ જલ્દી ઉમેદવારોની યાદી જાહેર કરશે. 8 ફેબ્રુઆરીએ થનારા મતદાન બાદ 11 ફેબ્રુઆરીએ તેનું પરિણામ જાહેર થશે. ત્રણેય પાર્ટીઓએ જીતનો દાવો કર્યો છે ત્યારે જ્યોતિષોની નજરે દિલ્હીની ગાદી પર કોનો રાજયોગ છે.
કેજરીવાલને હરાવવા ચેલેન્જ ભર્યું રહેશે
મનોજ તિવારી અને હર્ષવર્ધનની કુંડળી મજબૂત
કોંગ્રેસને આ બે નેતાઓ કરાવશે ફાયદો
મનોજ તિવારીનાં યોગ મજબૂત
ભાજપનાં અધ્યક્ષ મનોજ તિવારીની વાત કરીએ તો તેમની પણ મેષ રાશિ છે. રાશિ પ્રમાણે તેમનાં નવમાં સ્થાને ગુરુ અને કેતુની યુતિ રહેશે. ત્યારે મનોજ તિવારી પણ સારું પ્રદર્શન કરશે. જેથી આપ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ રહેશે. જ્યારે ભાજપનાં ડૉ. હર્ષવર્ધનની કુંડળી સૌથી વધારે મજબૂત છે. જો ભાજપ હર્ષવર્ધનનાં નેતૃત્વમાં ચુંટણી લડે છે તો તેમને પાક્કુ સારું પરિણામ મળશે.
શું કેજરીવાલ જીતી જશે?
મેષ રાશિ ધરાવતા અરવિંદ કેજરીવાલ અંગે જયોતિષો જણાવે છે, 8 અને 11 ફેબ્રુઆરી કેજરીવાલ માટે શુભ માનવવામાં આવી રહી છે. નવમાં સ્થાને રહેલો ગુરુ અને કેતુ ગ્રહોની ચાલ કેજરીવાલને સફળતા તરફ લઈ જશે.
ઉલ્લેખનીય છે કે ગ્રહો અરવિંદ કેજરીવાલને સાથ આપી રહ્યાં છે. ચોથા ભાવમાં ગુરુ , શુક્ર અને બુધની યુતિ અરવિંદ કેજરીવાલની સ્થિતિને મજબૂત કરી રહી છે. જે મનોજ તિવારી માટે એટલા સફળ યોગ નથી બની રહ્યાં.
11 ફેબ્રુઆરીએ પરિણામ આવવાનાં છે તે દિવસે કેજરીવાલની રાશિમાં પાંચમાં સ્થાને ચંદ્રમાં, રાશિ એકાદશ ભાવમાં બુધની યુતિ, દશમાં ભાવમાં સૂર્ય, શનિ અને નવમાં ભાવમાં મંગળ, ગુરુ કેતુની સ્થિતિ મજબુત બની રહી છે. કેજરીવાલ માટે વર્ષ 2026 સુધી ગુરુની દશા રાજયોગ કારક દશા છે. એટલા માટે 6 વર્ષ સુધી તેમને સત્તાથી હટાવવા કોઈ પણ વિરોધી માટે ચેલેન્જ ભરેલું રહેશે. ઉલ્લેનીય છે કે 24 જાન્યુઆરીએ શનિનું રાશિમાં પરિવર્તન થતાં જ કેજરીવાલની રાશિમાં 10માં સ્થાને બેસશે. જે સત્તા માટે ઉપયોગી રહેશે.
રાહુલનાં યોગ નબળા પણ આ નેતાઓ કોંગ્રેસને ફાયદો કરાવશે
સોનિયા ગાંધીનાં અધ્યક્ષ બન્યા પછી કોંગ્રેસમાં સ્થિતિ સુધારા પર હશે. કેમ કે રાહુલ ગાંધીની કુંડળીનાં ચોથા ભાવમાં શનિ- ચંદ્રમાંનાં વિષ યોગથી પીડિત છે એટલે કોંગ્રેસને થોડો ફાયદો થઈ શકે છે. ચોથો ભાવ જનતાનો ભાવ હોય છે જ્યાં પાપી ગ્રહોનાં બેસવાથી જન સમર્થન ઓછું થઈ જાય છે.
જ્યોતિષોનાં જણાવ્યાનુંસાર દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અજય માકનનાં ચુંટણી ન લડવાથી નુકશાન થશે કેમ કે માકનની કુંટળીમાં સારા પ્રદર્શનનાં યોગ છે. તે ભલે કિંગ મેકર ન બને પણ પાર્ટી માટે સારુ પ્રદર્શન કરી શકે છે. માકન પછી અરવિંદર સિંહ લવલીની કુંડળી સૌથી મજબુત છે. કોંગ્રેસનાં આ બે રાજનેતાને આગળ કરી કોંગ્રેસ ચુંટણી લડે છે તો તેમના સારા પ્રદર્શનની આશા છે.