આ વર્ષે UAE અને ઓમાનમાં યોજાનાર T20 વર્લ્ડકપ પર સૌની નજર છે. એક એક ટુર્નામેન્ટની લોકો રાહ જોઇને બેઠા છે ત્યારે ટીમ ઇન્ડિયામાં પણ બદલાવ થવાની શક્યતા છે.
ટી20 વર્લ્ડકપમાં આ ખેેલાડી ધૂમ મચાવશે
દિનેેશ કાર્તિકે આ ખેલાડીને ગણાવ્યો હુકમનો એક્કો
ટી20માં શાનદાર પફોર્મન્સ આપશે આ ખેલાડી
કાર્તિકનું નિવેદન
ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે, જો ભારત ટી20માં સારુ પ્રદર્શન કરે છે તો તેમાં વરુણની મહત્વની ભૂમિકા હશે.
કાર્તિકે ICCના ડિજીટલ શોમાં વેસ્ટઇન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા ફેવરિટ વરુણ ચક્રવર્તી છે. મને લાગે છે કે તેનામાં કંઇક ખાસ છે. જો ટીમ ઇન્ડિયા
ટી20 વર્લ્ડ કપમાં સારુ પ્રદર્શન કરશે તો તેમાં હું જે ખેલાડીની વાત કરી રહ્યો છું તેનુ પફોર્મન્સ સૌથી સારું હશે.
વરુણ 3 ઇન્ટરનેશનલ ટી20નો હિસ્સો
વરુણે અત્યાર સુધી 3 ઇન્ટરનેશનલ ટી20માં 2 વિકેટ લીધી છે પરંતુ તેનો ઇકોનોમી રેટ 5.30 રહ્યો છે. જે આ ફોર્મેટમાં ઘણું સારું છે. જો ઓવરઓલ ટી20ના કરિયરની વાત કરવામાં આવે તો વરુણે 24 મૅચમાં 27 વિકેટ લીધી છે અને તેમાં તેનો ઇકોનોમી રેટ 7.10 રહ્યો છે.
IPL 2020માં 17 વિકેટ
ઘરેલૂ ક્રિકેટની જો વાત કરવામાં આવે તો IPLમાં તેણે સારી બૉલિંગ કરી હતી અને કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતાં વરુણે 17 વિકેટ લીધી હતી.
આ સિઝનના પહેલા હાફમાં દિનેશ કાર્તિકે KKRની કપ્તાની કરી હતી. આ દરમિયાન તેણે વરુણની ખુબીઓને ઓળખી હતી. માટે તેને વિશ્વાસ છે કે યુએઇ અને ઓમાનની પીચ પર તે સારી બૉલિંગ કરશે.
વરુણ વર્લ્ડકપમાં સરપ્રાઇઝ સાબિત થશે
IPL2020માં સારા પ્રદર્શન બાદ તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી શકે છે. જો કે યોયો ટેસ્ટમાં પાસ ન થવાના કારણે તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ માટે થોડી રાહ જોવી પડશે. કાર્તિકના કહ્યાં અનુસાર ટી20 વર્લ્ડકપમાં તે ધૂમ મચાવશે.