બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
15 ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
એમાં પણ આજે તો દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવા પર દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વર્ષ 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. હિન્દુસ્તાનને આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ખુબ મહત્વની ભૂમિકા રહી હતી. પરંતુ શું તમે એ જાણો છો કે, જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે એ ભવ્ય ઉજવણીમાં ગાંધીજી સામેલ થયા નહોતા. ઉજવણી વખતે મહાત્મા ગાંધી રાજધાની દિલ્હીથી હજારો કિલોમીટર દૂર કોલકતાના ગાળના નોઆખલીમાં હતા. જ્યાં તેઓ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની સાંપ્રદાયિક હિંસા અને કોમી રમખાણો રોકવા માટે અનશન કરી રહ્યા હતા. 14 ઓગષ્ટની સાંજે જ્યારે દિલ્હીમાં ઉજવણીની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે ગાંધી તે હાઉસના આંગણામાં પ્રાર્થનાસભા કરી રહ્યા હતા.
તે દિવસે હિંસાથી ભરપૂર કોલકાતાના એ તૂટેલા મકાનના આંગણામાં તેમની પ્રાર્થનાસભા એક ચમત્કાર જેવી હતી. આ સભામાં તેમણે કહ્યું કે, આવતી કાલથી આપણે અંગ્રેજી રાજથી મુક્ત થઈ જશું, પરંતુ અડધી રાતે ભારતના પણ બે ટૂકડાં થઈ જશે. આવતી કાલનો દિવસ ખુશીનો હશે, પરંતુ એટલો જ દુઃખનો પણ હશે. આ આઝાદી આપણને એક મોટી જવાબદારી સોંપી રહી છે. આપણે આપણો વિવેક અને ભાઈચારો ન છોડવો જોઈએ. જો આ વિવેક અને ભાઈચારાની રક્ષા કોલકત્તામાં થઈ ગઈ તો સમજો આખાય ભારતમાં થઈ ગઈ. કોલકત્તાના ઉદાહરણથી સમગ્ર દેશમાં માનવતા જાગશે. આઝાદીનું આવું આગમન મને ખુશ નથી કરતું. આવતી કાલે સ્વતંત્રતા દિવસે હું ઉપવાસ કરીશ. ભારતના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરીશ.
ADVERTISEMENT
આઝાદીપર્વને લગતી આવી જ કેટલીક રસપ્રદ હકીકતો જાણીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.