તેલની વધતી કિંમતોને લઈને વિપક્ષ હુમલો કરી રહ્યું છે. ત્યારે લોકો પણ સવાલ કરી રહ્યા છે કે આખરે કિંમતમાં ઘટાડો ક્યારે આવશે. તેલની વધતી કિંમતોને લઈને આ વખતે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું છે.
હું આના પર કંઈ પણ કહેવું ધર્મ સંકટ જેવું છે- નાણા મંત્રી
અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેલની વધતી કિંમતો પર સરકાર ક્યારે અંકુશ લગાવશે. આ સવાલના જવાબમાં નાણા મંત્રીએ કહ્યું ક્યારે થશે એ અંગે હું ન કહી શકુ. હું આના પર કંઈ પણ કહેવું ધર્મ સંકટ જેવું છે.
#WATCH | "I won't be able to say 'when'.. it is a ‘dharam sankat’ (dilemma)...," says Finance Minister Nirmala Sitharaman in Ahmedabad, after being asked when would the Central Government reduce fuel prices pic.twitter.com/Mnpn76I2xR
કાર્યક્રમમાં સીતારમણે કહ્યું આ નવા દશકનું બજેટ છે. આ બજેટ સ્પષ્ટ રીતે કહે છે કે અમે ખાનગી ક્ષેત્રો પર ભરોસો કરીએ છે અને દેશના વિકાસમાં ભાગીદારી માટે તમારુ સ્વાગત છે. નાણા મંત્રીએ કહ્યુ આ બજેટમાં અમે સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર શુ કરી શકે છે અને કઈ હદ સુધી કરી શકે છે. એટલા માટે આ બજેટ ભારતીય અર્થવ્યવસ્થાના એક દિશાત્મક ફેરફાર આપે છે. અમે સોવિયત સંઘમાંથી વારસામાં વ્યવસ્થા મળી જેમાં સમાજવાદની ઉપલબ્ધિઓની વાત થાય છે કે ફક્ત સમાજવાદ જ સંપૂર્ણ આબાદીનું કલ્યાણ કરી શકે છે. તે કહે છે કે કલ્યાણકારી રાજ્ય એક જ સમાજવાદી વિશેષાધિકારી છે.’
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું મોટુ આ કારણ
હાલમાં જ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઈંધરની કિંમતો વધવાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ઉત્પાદનમાં કાપને ગણાવ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે ઈંધણની કિંમતો વધવાના બે મુખ્ય કારણે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ઉત્પાદનને ઓછું કરવામાં આવ્યું છે. ઉત્પાદક દેશ પોતાનો નફો વધારવા માટે તેલના ઉત્પાદનને ઓછુ કરી રહ્યા છે. એટલા માટે કાચા તેલની ખરીદી કરનારા દેશો માટે આ મોંઘુ પડી રહ્યુ છે.