એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ પાઠવ્યું છે. આ સમન્સ PMC Bank સ્કેમ કેસની તપાસના સંદર્ભમાં મોકલવામાં આવ્યું છે. ED એ વર્ષા રાઉતને 29 ડિસેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે.
શિવસેના સાંસદ સંજય રાઉતની પત્નીને મોકલાયું સમન
ટ્વિટ કરીને રાઉતે લખ્યું, આ દેખેં જરા કિસમેં કિતના હૈ દમ..'
PMC Bank કૌભાંડના મામલે તપાસ ચલાવી રહી છે ED
સૂત્રોએ જણાવ્યું છે કે આ કેસમાં વર્ષા રાઉતે પ્રવીણ રાઉત નામના અન્ય આરોપીની પત્ની સાથે 50 લાખ રૂપિયાનો વ્યવહાર કર્યો છે. સમાન લેણદેણના સંદર્ભમાં વર્ષા રાઉતને બોલાવવામાં આવ્યા છે. જોકે, વર્ષા રાઉતે કહ્યું હતું કે તે મિલકત ખરીદવા માટે ઉધાર લેવામાં આવી છે. હાલમાં, ED એ સંજય રાઉત ની પત્ની વર્ષાને PMC Bank કૌભાંડ કેસમાં તપાસમાં જોડાવા સમન્સ જારી કર્યું છે.
ED એ પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી
તે જ સમયે, ED ના સમન્સ બાદ સંજય રાઉત એ એક ટ્વીટ કર્યું, જેમાં તેણે લખ્યું કે, 'આ દેખે જરા, કિસમેં કિતના હૈ દમ..' પ્રવિણ રાઉતની ED દ્વારા થોડા દિવસો પહેલા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ED વર્ષા રાઉત અને પ્રવીણના ખાતામાં થયેલી લેવડ-દેવડની માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે આ કિસ્સામાં, ત્રીજી વખત ED એ રાઉતને સમન્સ મોકલ્યું છે. નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ સતત ત્રણ સમન્સ છોડે તો ED તે વ્યક્તિ સામે કાનૂની અને ન્યાયિક કાર્યવાહી કરી શકે છે.
ભાજપ નેતાએ સાધ્યું નિશાન
આ મુદ્દે ભાજપ ના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે, મેં સંજય રાઉત પરિવારને ED ની નોટિસ વિશે સાંભળ્યું હતું. શું શ્રી રાઉત અમને કહેશે કે શું તેનો પરિવાર તેમાં લાભાર્થી છે? "
આ સાથે જ ભાજપ ના નેતા રામ કદમે પણ આ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ રાજકીય બદલો નથી. જ્યારે મહારાષ્ટ્ર સરકાર પોલીસ અને અધિકારીઓ દ્વારા કેટલાક લોકો પર કાર્યવાહી કરે છે અને બીજાઓના મકાનો તોડે છે, ત્યારે તેઓ બોલતા નથી, પરંતુ જ્યારે કેન્દ્રની એજન્સી સંજય રાઉત ના પરિવારને નોટિસ મોકલે છે, ત્યારે તે બદલો લેવાય છે તેમ કહેવામાં આવે છે, આ કયા પ્રકારનાં બેવડા ધોરણો છે?
શું છે PMC Bank કૌભાંડ ?
નોંધનિય છે કે ગયા વર્ષે RBI ને ખબર પડી હતી કે PMC Bank એ રિયલ એસ્ટેટ ડેવલપરને લગભગ 6500 કરોડની લોન આપવા માટે બનાવટી બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. જે બાદ RBI એ આ બેંકમાંથી પૈસા ઉપાડવાની લિમિટ બાંધી દીધી હતી, જેના પછી ED એ મની લોન્ડરિંગ બાબતે પણ શરૂ કરી હતી. બીજી તરફ, બેંકના ભૂતપૂર્વ એમડી અને બેંકના પૂર્વ ચેરમેન તેમજ બેંકના ઘણા વરિષ્ઠ અધિકારીઓની તેના પછી ધરપકડ પણ કરાઇ હતી. તે જાણીતું છે કે PMC Bank ની 7 રાજ્યોમાં લગભગ 137 શાખાઓ છે.