કેન્દ્ર સરકારે વોટ્સએપ પર આપત્તિજનક મેસેજ અને ધમકી મળતી ફરીયાદ દૂરસંચાર વિભાગમાં દાખલ કરાવવાની સુવિધા શરૂ કરી છે. પીડિતોએ ફરીયાદ કરવા માટે મોબાઇલ નંબરની સાથે મેસેજનો સ્ક્રીનશોટ લેવો પડશે. એને દૂરસંચારની હેલ્પલાઇન પર જારી કરેલા ઇમેલ પર મોકલવો પડશે. ત્યારબાદ વિભાગ કાર્યવાહી કરશે.
પુલવામા હુમલા બાદ ઘણા લોકો વોટ્સએપ પર અપમાનજનક સંદેશ અને ધમકી આપવામાં આવી, વિભાગે હેલ્પલાઇન તરીકે ઇમેલ આઇડી ccaddn [email protected] બનાવી છે. જો કોઇને અપમનાજનક, આપત્તજનક, ધમકી અથવા અશ્લીલ મેસેજ મળે છે તો મોબાઇલ નંબરની સાથે મેસેજ સ્ક્રીનશોટ લઇને એની પર મોકલો.
વિભાગના કંટ્રોલર કોમ્યુનિકેશન આશીષ જોશીએ ટ્વિટ કર્યું કે અમે જરૂરી કાર્યવાહી માટે ટેલિકોમ કંપનીઓ અને પોલીસ પ્રમુખો સાથે વાત કરીશું, સૂચના અને પ્રૌધોગિકી મંત્રાલય તરફથી મોબ લિન્ચિંગ ના મુદ્દા પર ઘણી વખત વોટ્સએપ મેસેજ પર લગામ લગાવવાનું પગલું ભરવાની વાત કહેવામાં આવી, પરંતુ દૂર સંચાર વિભાગે હેલ્પલાઇન તરીકે ઇ-મેલ આઇડી જારી કરીને નાગરિકના હિતોની રક્ષા મામેલ બાજી મારી લીધી.
કેન્દ્રીય સૂચના પ્રૌધોગિકી મંત્રીએ રવિશંકર પ્રસાદે કહ્યું ડિજીટલીકરણ અને ઇન્ટરનેટના વધતા ઉપયોગની વચ્ચે ભારતને ડિજીટલ પ્લેટફોર્મની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. ડિજીટલ સ્ટેજના પાયે સાઇબર સુરક્ષા માળખું હોવું જોઇએ.