પાણી આપણા શરીર માટે આવશ્યક તત્વ છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઘણી બીમારીઓને દૂર કરે છે.
પાણી પીવાની આ રીત છે યોગ્ય
ખોટી રીતે પાણી પીશો તો થશે બીમારી
આયુર્વેદમાં પાણી પીવાની યોગ્ય રીત બતાવી છે
તે ઝેરી તત્વોને બહાર કાઢવા, કોષોમાં પોષક તત્વો અને ઓક્સિજન પહોંચાડવા, ત્વચાને સ્વસ્થ રાખવામાં, શરીરનું તાપમાન નિયમન કરવામાં અને મગજના કાર્યમાં પણ મદદરૂપ છે. સાંધાને લુબ્રિકેટ કરવા માટે પણ પાણીની જરૂર પડે છે. તેથી જ નિષ્ણાતો વ્યક્તિને આખા દિવસમાં 3-5 લિટર પાણી પીવાની સલાહ આપે છે.
દિવસમાં કેવી રીતે પીશો પાણી
દિવસભર પૂરતું પાણી પીવું એ પૂરતું નથી, પરંતુ તેનો ફાયદો ત્યારે જ લઈ શકાય છે જ્યારે તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે. આ સંપૂર્ણપણે સાચું છે. જો તમે એવા લોકોમાંથી એક છો જેઓ એક સમયે ખૂબ જ ઓછું પાણી પીવે છે, તો તમારે અત્યારે જ આમ કરવાનું બંધ કરી દેવું જોઈએ. આયુર્વેદ અનુસાર ખોટી રીતે પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
જમતી વખતે ન પીશો પાણી
પોષક તત્વોના વધુ સારી રીતે અવશોષણ માટે ખોરાકનું પાચન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે ભોજન શરૂ કરતા પહેલા અથવા જમવાની વચ્ચે પાણી પીઓ છો , તો તે પાચનતંત્રને બગાડી શકે છે . આયુર્વેદ કહે છે કે આમ કરવાથી પેટમાં ખોરાકની સ્થિતિ પર સીધી અસર પડે છે. પાણી એક શીતક છે અને ભોજન સમયે પાચનની આગને શાંત કરી શકે છે. ભોજન દરમિયાન નિયમિત પાણી પીવાથી વજન વધતા સમય લાગતો નથી.
કેવી રીતે પીશો પાણી?
એક સમયે એક ગ્લાસ પાણી ન પીવો. તેના બદલે, ધીમે ધીમે સીપ બાય સીપ પાણી પીવો.
જમ્યા પહેલા કે પછી પાણી ક્યારેય ન પીવો. પાણી પીવાની આ રીત ગેસ્ટ્રિક જ્યુસને પાતળું કરે છે, જે તમારી સિસ્ટમ માટે ખોરાકમાંથી પોષક તત્વોને પચાવવા અને શોષવામાં મુશ્કેલી બનાવે છે.
જો તમને ખુબ તરસ લાગી છે તો જમ્યાના 30 મીનિટ પહેલા કે જમ્યાના 30 મીનિટ પછી જ પાણી પીવો.
ભોજન દરમિયાન જો તમને તરસ લાગે છે તો સીધું એક ગ્લાસ નહી પરંતુ એક કે 2 સિપ પાણી પી શકો છો.
જો તમને ભોજન પચાવવામાં મુશ્કેલી થાય છે તો ગરમ પાણી પીવું યોગ્ય માનવામાં આવે છે.
ઉભા રહીને ન પીવો પાણી
ઉતાવળમાં આપણે ઉભા રહીને પાણી પી લઇએ છીએ પરંતુ પાણી પીવાનો આ એકદમ અયોગ્ય રીત છે. આ રીતે પાણી પીવાથી તમારા પેટમાં આંચકો લાગે છે અને અન્નનળીને નુકસાન થાય છે.
તમારા શરીરમાંથી નીકળીને કોલોનમાં પહોંચી જાય છે. જેનાથી કિડની અને બ્લેડર વિષાક્ત પદાર્થ જમા કરે છે અને તમારી તરસ પણ છીપાતી નથી.