જો પુતિનને એવું લાગશે કે, યુદ્ધમાં તેઓને હવે સફળતા નથી મળી રહી અથવા તો ગાડી હવે પાટા પરથી ઉતરી રહી છે. તો કદાચ પરમાણુ કે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે પરંતુ આવું કરવું એ હકીકતમાં ખૂબ જ મુશ્કેલ છે.
પુતિન ઇચ્છે તો પરમાણુ કે રાસાયણિક હથિયારોનો ઉપયોગ પણ કરે તેવી શક્યતા
રશિયા પાસે છે વિશ્વનું સૌથી મોટું પરમાણુ શસ્ત્રાગાર
પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો ખૂબ અઘરું છે, પણ અસંભવ નહીં
યુક્રેન (Ukraine) પર રશિયન આક્રમણને લગભગ ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. ત્યારે એવું કહેવું સલામત છે કે, કેટલીક બાબતો રશિયાની તરફેણમાં નથી થઇ રહી અને તે હજુ સુધી તે લક્ષ્યોને હાંસલ નથી કરી શક્યું કે જેને શરૂઆતમાં જ થોડા દિવસોની અંદર પૂર્ણ કરવાની યોજના હતી. રશિયાની પ્રગતિ જેટલી લાંબા સમય સુધી અટકશે, તેટલી જ વધારે કઠોર કાર્યવાહી કરવાની આશંકા વધારે ને વધારે સેવાતી જાય છે. જેમાં સંભવિતપણે સામૂહિક વિનાશના શસ્ત્રોનો ઉપયોગ પણ સામેલ કરી શકે છે. જો કે, તે કરવું એટલું બધું શક્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ કે, સામૂહિક વિનાશના શસ્ત્રોનો ઉપયોગ આખરે કયા સંજોગોમાં થઈ શકે છે?
સામૂહિક વિનાશના જે શસ્ત્રનો સૌથી વધુ ઉપયોગમાં લેવાય તેવી આશંકા છે તેમાં રાસાયણિક હથિયારનો સમાવેશ થાય છે. રશિયા પાસે એક સમયે વિશ્વના રાસાયણિક શસ્ત્રોનો સૌથી મોટો ભંડાર હતો, જેમાં સરીન અને વીએક્સ જેવી નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડનારા શસ્ત્રોથી લઈને મસ્ટર્ડ ગેસ અને ઝેરી ગેસ ફોસજીનનો પણ સમાવેશ થાય છે. રશિયાએ 2017 સુધીમાં પોતાના શસ્ત્રાગારને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ 2018 અને 2020 માં હત્યાના પ્રયાસો દરમિયાન નોવિચોક દ્વારા નર્વસ સિસ્ટમના નુકસાનનો ઉપયોગથી એ બાબતનો ખ્યાલ આવે છે કે, તેની પાસે રાસાયણિક શસ્ત્રો છે. જો કે જથ્થો અને પ્રકાર (નોવિચોક સિવાય) અજ્ઞાત છે.
રશિયા પાસે છે વિશ્વનું સૌથી મોટું પરમાણુ શસ્ત્રાગાર
અહીં સામૂહિક વિનાશનો બીજો સંબંધિત ખતરો પરમાણુ હથિયાર છે. એવો અંદાજ લગાવાઇ રહ્યો છે કે, રશિયા પાસે વિશ્વનું સૌથી મોટું પરમાણુ શસ્ત્રાગાર છે, જેમાં કુલ 4477 પરમાણુ હથિયાર છે, જેમાંથી 1912ને વ્યૂહાત્મક પરમાણુ હથિયાર ગણવામાં આવે છે. વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો યુદ્ધભૂમિના મેદાનમાં ઉપયોગ માટે હોય છે, જ્યારે વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ શહેરો જેવાં કે વ્યૂહાત્મક લક્ષ્યોને નષ્ટ કરવા માટે થાય છે. વ્યવહારિક રીતે તેમની વચ્ચેનો એક માત્ર તફાવત એ હોય છે કે, કેવી રીતે એટેક કરવો.
વ્યૂહાત્મક પરમાણુ હથિયારોને ટૂંકા અંતરની ડિલિવરી સિસ્ટમ જેવી કે તોપખાના, ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ અથવા તો વ્યૂહાત્મક વિમાનનો ઉપયોગ કરીને તૈનાત કરવામાં આવે છે. તેમના ફોકસને જોતા તેઓની પાસે વ્યૂહાત્મક શસ્ત્રોની તુલનામાં ઓછી વિસ્ફોટક ક્ષમતા હોઈ શકે છે, પરંતુ આવું હોવું એ જરૂરી પણ નથી. મોટા ભાગના દ્રિતીય વિશ્વયુદ્ધ અમેરિકા દ્વારા હિરોશિમા અને નાગાસાકી પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતાં મોટા ભાગના આધુનિક વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોમાં વિસ્ફોટક શક્તિ વધુ હોય છે.
'પરમાણુ હથિયારોનો ઉપયોગ અસંભવ નથી'
જો કે, પરમાણુ હથિયારોના ઉપયોગની સંભાવના તો નથી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પોતાના પરમાણુ દળોની તકેદારી વધારી છે અને સંઘર્ષમાં નાટોની દખલગીરીને રોકવા માટે રશિયાના પરમાણુ શસ્ત્રાગાર તરફ ઇશારો કરતા તેના જોખમોને વિશે ખૂબ ખરાબ રીતે દર્શાવેલ છે. રશિયા દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગનો ખતરો વધી શકે છે, જો પુતિનને એવું લાગશે કે, યુદ્ધમાં તેઓને હવે સફળતા નથી મળી રહી અથવા તેઓની ગાડી હવે પાટા પરથી ઉતરી રહી છે. ત્યારે કદાચ તેઓ આવું વિચારી શકે પણ આવું કરવું એ હકીકતમાં ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ અસંભવ નહીં.