કિડની લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. આ ફિલ્ટરેશનના માધ્યમથી લોહીમાં રહેલા ઝેરી તત્વોને ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે.
કિડની ખરાબ થવાનો પ્રથમ સંકેત પેશાબમાં જોવા મળે છે
કિડની ખરાબ થવા પર હિમોગ્લોબિનનું સંતુલન બગડી જાય છે
કિડની કામ કરવાનું બંધ કરી દે તો માણસ 24 કલાક પણ ન જીવી શકે
કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. જો બંને કિડની કામ કરવાનું બંધ કરી દે તો માણસ 24 કલાક પણ ન જીવી શકે. એટલે કિડનીને સૌથી સુરક્ષિત રાખવી આપણા માટે જરુરી છે. જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, ત્યારે આ ખોરાકની સાથે ઘણા ઝેરી રસાયણો પણ આપણા શરીરની અંદર જાય છે. બીજી તરફ પોષક તત્ત્વોના શોષણ દરમિયાન ઘણા પ્રકારના વેસ્ટ મટિરિયલ પણ બને છે. આ ટોક્સિન લોહીમાં જમા થાય છે. કિડની લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. આ ફિલ્ટરેશનના માધ્યમથી લોહીમાં રહેલા ઝેરી તત્વોને ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે.
આ રીતે કિડની ફિલ્ટરનું કામ કરે છે. તે લોહીમાં હાજર તમામ પ્રકારના ટોક્સિનને ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા બહાર કાઢી નાખે છે. તેથી જો કિડની સંપૂર્ણ રીતે કામ ન કરે તો શરીરના જુદા જુદા ભાગોમાં વેસ્ટ મટિરિયલ જમા થવાનું શરૂ થશે જે શરીરને ધીમે ધીમે ઝેરથી ભરી દેશે અને જીવનને જોખમમાં મૂકી દેશે.
કિડનીનું કામ શું છે?
સહ્યાદ્રી હોસ્પિટલ પૂણેના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડૉ. સચિન પાટિલે જણાવ્યું કે જે રીતે વાહન ચાલ્યા બાદ પ્રદૂષણ છોડે છે એ જ રીતે શરીરમાં પણ વેસ્ટ મટિરિયલ બને છે. કિડની આ વેસ્ટ મટિરિયલને બહાર કરે છે. આ સિવાય કિડની શરીરમાં રહેલા પ્રવાહીને સંતુલિત રાખે છે. કિડની શરીરમાં બનેલા વધારાના સોડિયમ, ફોસ્ફરસ, પાણી, મીઠું, પોટેશિયમ વગેરેને પેશાબ દ્વારા દૂર કરે છે. તમારા શરીરમાં જેટલું લોહી છે તે દિવસમાં ઓછામાં ઓછા 40 વખત કિડનીમાંથી પસાર થાય છે. આપણા શરીરમાં હૃદયમાંથી જેટલુ લોહી નિકળે છે તેનું 20 ટકા લોહી કિડનીમાં પહોંચે છે અને તેને 24 કલાક ફિલ્ટર કરતું રહે છે. આ પ્રક્રિયા દરમિયાન વેસ્ટ મટીરીયલ નિકળે છે. કિડની સોડિયમ, કેલ્શિયમ, મિનરલ્સ, પાણી, ફોસ્ટોફોરસ, પોટેશિયમ, હિમોગ્લોબિન વગેરેને બેલેન્સ કરે છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જો કિડનીના ફંક્શનમાં કોઈ અવરોધ આવે તો વ્યક્તિના જીવને જોખમ રહે છે.
કિડની ખરાબ થવાના સંકેત
પેશાબમાં તકલીફ- કિડની પેશાબ દ્વારા તમામ પ્રકારના વેસ્ટ મટિરયલને દૂર કરે છે. તેથી જ કિડની ખરાબ થવાનો પ્રથમ સંકેત પેશાબમાં જોવા મળે છે. જો કિડની ખરાબ હોય તો પેશાબની સામાન્ય માત્રામાં પરિવર્તન થવા લાગે છે. એટલે પેશાબ ઓછા થવા લાગે છે અથવા તો પહેલા કરતા વધારે આવે છે. પેશાબનો રંગ પણ બદલાઈ જાય છે. પેશાબમાં દુર્ગંધ આવવા લાગે છે. કિડની પર વધુ ભાર હોય ત્યારે પેશાબમાં વધુ પ્રોટીન આવવા લાગે છે, જેના કારણે પેશાબમાં ફીણ આવવા લાગે છે.
પગમાં સોજા- કિડની ખરાબ થવા પર હિમોગ્લોબિનનું સંતુલન બગડી જાય છે. જેના કારણે પગમાં સોજા થવા લાગે છે. આ સોજા ચહેરા પર આંખોની નીચે પણ જોવા મળે છે. આ સ્થિતિમાં જો લાંબા સમય સુધી ક્યાંક બેસી રહે તો પગમાં સોજા આવી શકે છે. તેમાં થાક પણ લાગી શકે છે.
ભૂખ ન લાગવી- જો કીડ વેસ્ટ મટિરિયલ કાઢવાનું બંધ કરી દેશે તો તો આ વેસ્ટ મટિરિયલ શરીરની અંદરના ભાગમાં જમા થવા લાગે છે. જો આ વેસ્ટ મટિરિયલ પેટમાં જમા થવા લાગે તો ઉબકા આવવા લાગે છે, ઉલટી થાય છે, ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટી જાય છે. પેટમાં દુ:ખાવો પણ થાય છે.
એકાગ્રતામાં અભાવ- આ રીતે જો મગજમાં વેસ્ટ મટિરિયલ જમા થવા લાગે તો એકાગ્રતામાં કમી થવા લાગે છે. ક્યારેક-ક્યારેક અચાનક બેભાન પણ થઈ શકો છો.
શ્વાસ ફુલાવા લાગશે - જો વેસ્ટ મટિરિયલ ફેફસામાં જમા થવા લાગે તો ફેફસામાં સોજો આવવા લાગે છે અને શ્વાસ ફુલાવા લાગશે. શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
સ્કિનમાં બળતરા- જો વેસ્ટ મટિરિયલ સ્કિનની નીચે જમા થવા લાગે તો સ્કિનમાં ફોડલીઓ, બળતરા, ખંજવાળ આવવા લાગે છે.
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે- કિડનીની પરેશાનીના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. જેનાથી ઈન્ફેક્શન લાગવાનું જોખમ ઘણું વધી જાય છે.
કિડનીની સમસ્યા થવા પર શું કરવું
ડૉ. સચિન પાટિલ જણાવે છે કે જો આ લક્ષણો એક અઠવાડિયાથી વધુ સમય સુધી જોવા મળે તો સૌ પ્રથમ નેફ્રોલોજીના ડૉક્ટરને મળો. હિમોગ્લોબિન, કિરેટેનિન, યુરિયા, સોડિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, પેશાબની તપાસ કરવામાં આવે છે. સોનોગ્રાફીથી કિડનીની સાઈઝ, કિડની ઈન્ફેક્શન, પથરી વિશે જાણવામાં આવે છે. કિડનીને લગતી કોઈ બીમારી હોય તો ડૉક્ટર તેની દવા આપે છે. કિડનીની બિમારી ન થાય તે માટે તેનો બચાવ વધુ જરુરી છે. આ માટે આધુનિક જીવનશૈલી બદલવી પડશે. દરરોજ વ્યાયામ કરો. પેઈન કિલર ન લો, જો તમને શુગર, બીપીની સમસ્યા હોય તો તેની સારવાર કરો.