કુદરતે આપણને દરેક કલરના ફળ,ફુલ અને શાકભાજી આપ્યા છે. શા માટે કુદરતે આવા અલગ અલગ રંગ પસંદ કર્યા હશે. અલગ અલગ રંગના ભોજનનો શરીરને શું ફાયદો મળે છે. શા માટે તે સ્વાસ્થ્ય માટે જરુરી છે.
આપને એક ખાસ વાત જણાવી દઇએ છે કે, તમે વિવિધ રંગના ભોજનને તમારા ડાયેટમાં સામેલ કરીને તમે અનેક બિમારીઓથી બચી શકો છો. તો જાણો અલગ અલગ રંગના શરીર માટે શું ફાયદા છે.
લાલ
આ રંગ શક્તિ વધારનાર છે.તેનાથી મગજમાં તાજગીની સાથે તાકાત પણ જળવાયેલી રહે છે. મેમરી વધે છે અને એનર્જી લેવલ પણ જળવાયેલું રહે છે. તે કેન્સરને રોકવામાં પણ સહાયક છે.
શેમાંથી મળે.
આ રંગ માટે ટામેટાનો ખુબ ઉયોગ કરવો જોઇએ. તે લોહી વધારે છે. લાલ દ્રાક્ષ, તરબુચ, ગાજર, સફરજન, દાડમ, સ્ટ્રોબેરી અને લાલ શિમલા મરચાનું સેવન વધુ કરવું જોઇએ.
લીલો
લીલો રંગ મોટાભાગે શાકભાજીમાં જોવા મળે છે. તે ખાવાથી કેલ્શિયમની કમી દુર થાય છે. લીલા રંગમાં વિટામીન એ, સી, અને બી કોમ્પ્લેક્સ મળી આવે છે. તેનાથી હાડકા અને દાંત પણ મજબુત થાય છે.
શેમાંથી મળે
આ રંગ માટે લીલા પાંદડાવાળી શાકભાજી, કોબીજ, લીલી ડુંગળી, કાકડી, લીલી દ્રાક્ષ, વટાણાં, નાસપતિનું સેવન કરવું જોઇએ.
પીળો
પીળા રંગના શાકભાજી અને ફળમાં બીટા કેરોટીન અને વિટામીન સી મળી આવે છે. ઓરેન્જ કલરના ફળ રોગપ્રતિરોધક ક્ષમતા વધારવામાં સહાયક હોય છે. ફેફસાને સ્વસ્થ રાખે છે અને હ્રદયની બિમારીઓથી પણ બચાવે છે.
શેમાંથી મળે
આ માટે સંતરા, લીંબુ, અનાનસ, પપૈયુ, ગાજર અને કેરી ખાવી જોઇએ. તરબુચ અને સરસવ પણ તેનો સારો સ્ત્રોત છે. પપૈયુ અને
સંતરા કેન્સરની શક્યતાઓને પણ ઘટાડે છે.
જાંબલી કે વાદળી
જાંબલી કે વાદળી રંગના શાકભાજી દિલના રોગીઓ માટે ફાયદાકારક છે. આ રંગ પોષકતત્વોથી ભરપુર હોય છે. તે ત્વચાને સુંદર અને
હેલ્ધી બનાવે છે. આ કલરના ફળોમાં જાંબુ સૌથી બેસ્ટ છે.
શેમાંથી મળે
પલ્મ, રીંગણ, જાંબલી દ્રાક્ષ અને બ્લુબેરી તેનો સારો સ્ત્રોત છે.
સફેદ
આ રંગના શાકભાજી ખાવાથી કેન્સરની તેમજ, દિલની બીમારીઓ અને ગાંઠ બનવાની શક્યતાઓ ઘટી જાય છે.
શેમાંથી મળે
મુળા, સફેગ ડુંગળી, લસણ, કોબીજ અને બટાકા ખાવા જોઇએ. કેળા પણ ખાવા જોઇએ તેમાં આયરન હોવાથી લોહીની કમી પણ
દુર થાય છે.