કોરોના વાયરસના સંક્રમણને લઈને દેશભરમાં ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે 9 જુલાઈએ સાંજે 5 વાગ્યાથી લૉકડાઉનનો આદેશ જાહેર કર્યો છે. સરકારે આ નિર્ણય રાજ્યના કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન માટે કડક લૉકડાઉન લાગૂ કરાશે.
પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લાગુ થશે લૉકડાઉન
મમતા બેનર્જી સરકારે કોરોના રોકવા લીધો નિર્ણય
રાજ્યના કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં કડક લૉકડાઉન લાગૂ થશે
પશ્ચિમ બંગાળમાં અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહ) અલાપન બંદોપાધ્યાયે જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યાપક કન્ટેનમેન્ટ ઝોન કડક લોકડાઉન અને તમામ સરકારી અને ખાનગી કચેરીઓ, તમામ બિન-આવશ્યક પ્રવૃત્તિઓ, વિધિઓ, પરિવહનને આધિન રહેશે. તમામ બજાર,ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ બંધ રહેશે. તેમાં એ સ્પષ્ટ કરાયું નથી કે લૉકડાઉનના નિર્દેશ ક્યાં સુધી લાગૂ રહેશે.
West Bengal Govt issues fresh Lockdown order;to be in force from 9th July, 5PM.
▪️All offices(Govt&Pvt), Congregations,Transportation, Marketing/Industrial,Trading activities closed in the 'Broader containment zones'(containment zones+buffer zones) pic.twitter.com/h81yrLsBlF
— Prasar Bharati News Services (@PBNS_India) July 7, 2020
આવતીકાલે સાંજે 5 વાગ્યાથી લાગૂ થશે લૉકડાઉન
ગુરુવારે સાંજે પાંચ વાગ્યે સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવા અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ -19 ના કેસોમાં થયેલા મોટા વધારાને ધ્યાનમાં રાખીને 9 જુલાઈથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે કન્ટેનમેન્ટ ઝોન અને તેના આસપાસના બફર ઝોનને એક સાથે "બ્રોડ-બેસ્ડ" કન્ટેન્ટ ઝોન બનાવશે, જ્યાં ગુરુવારે સાંજે પાંચ વાગ્યાથી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટકર્તાઓ દ્વારા આ વિસ્તારોના રહેવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય પૂરી પાડવાનો પ્રયાસ કરશે.
એજ્યુકેટેડ લોકોમાં વધારે ફેલાઈ રહ્યો છે કોરોના
કોવિડ -19 કેસ કોલકત્તામાં શિક્ષિત લોકોની બેદરકારીને કારણે ઝડપથી વધી ગયા છે. આને કારણે પશ્ચિમ બંગાળ સરકારે ફરીથી લૉકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લાં બે અઠવાડિયામાં મહાનગરમાં કોરોના વાયરસથી ચેપ લાગેલા કેસમાં 85 ટકા લોકો શિક્ષિત છે અને હાઉસિંગ સંકુલ, એપાર્ટમેન્ટ અથવા પાકાઘરોમાં રહે છે, જ્યારે 15 ટકા લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારના છે. એટલે કે શિક્ષિત લોકોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેઓ સરકારને સહયોગ આપી રહ્યા નથી.
કોરોનાના વધતા કેસને લઈને લાગૂ થયું લૉકડાઉન
અધિકારીએ આરોપ મૂક્યો કે આ લોકોની બેદરકારી એ કોવિડ -19 કેસોમાં તાજેતરમાં થયેલા વધારા માટેનું કારણ છે અને સરકારને એવા કેટલાક વિસ્તારોમાં ફરીથી કડક લૉકડાઉનની ખાતરી આપી છે જ્યાં મોટી સંખ્યામાં ચેપ લાગ્યો છે તે વિસ્તારોમાં આવતીકાલે સાંજે 5 વાગ્યાથી કડક લૉકડાઉન લાગૂ થશે.