પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પ્રહાર બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેના પર ભારે પલટવાર કર્યા છે. જયશ્રી રામના નાર, ઓવૈસીના ચૂંટણી લડવા, ભાજપ કાર્યકર્તાઓની હત્યા અને બંગાળના મુખ્યમંત્રી અંગે નિવેદન આપ્યા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગૃહમંત્રી અમિત શાહનો પલટવાર
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, હું બંગાળમાં મમતા સરકારને ઉખેડવા આવ્યો છું, સંભાળવા નહીં
શાહે કહ્યું કે, જય શ્રી રામનો નારા તૃષ્ટિકરણની રાજનીતિ વિરૂદ્ધ બંગાળની જનતાનો નારો
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જય શ્રી રામના નારાથી મમતા દીદી કે ચીડાઇ છે. જય શ્રીરામનો નારો લગાવવા માટે અમને શું કોર્ટની મંજુરી લેવી પડશે. જય શ્રીરામનો નારો તૃષ્ટિકરણની રાજનીતિ વિરૂદ્ધ બંગાળની જનતાનો નારો છે. અમારો ચૂંટણી મુદ્દો જ બંગાળની સંસ્કૃતિ છે. એટલા માટે જય શ્રીરામનો નારો અમારો ચૂંટણી નારો કેમ ન હોવો જોઇએ. શાહે દાવો કર્યો કે, ભાજપ પશ્ચિમ બંગાળમાં 200થી વધુ બેઠકો સાથે સરકાર બનાવશે.
મમતા બેનર્જીના આરોપ હતા કે, ભાજપ ધાર્મિક અને સાંસ્કૃતિક નારા લગાવીને બંગાળની ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે, પરંતુ શાહે કહ્યું કે, આ સિવાય પણ અમારા અનેક નારા છે. મમતા દીદીને તેના પર ધ્યાન આપવું જોઇએ.
ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવમાં ગુરૂવારે અમિત શાહે કહ્યું કે, બંગાળમાં અમારા મત ટકાવારી વધી છે. એટલા માટે હવે અહીં પરિવર્તન આવવાનું છે. શાહે કહ્યું કે, બંગાળની જનતાએ કેટલાક વર્ષો સુધી કોંગ્રેસ, વામ મોર્ચા અને તૃણમૂલ કોંગ્રેસને મોકો આપ્યો. મને પૂર્ણ વિશ્વાસ છે કે, આ વખતે સોનાર બાંગ્લા બનાવવા માટે જનતા ભાજપ પર જરૂર વિશ્વાસ છે કે આ વખતે સોનાર બાંગ્લા બનાવવા માટે ભાજપ પર જરૂર વિશ્વાસ મુકશે. આ વખતે બંગાળની જનતા મમતા સરકારને ઉખેડી ફેંકશે. હું અહીં મમતા બેનર્જી સરકારને ઉખેડવા આવ્યો છું, સંભાળવા નહીં.
ઓવૈસીને કેવી રીતે બંગાળમાં ચૂંટણી લડવાથી રોકી શકો છો
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવા પર અમિત શાહે કહ્યું કે, દરેક સ્વતંત્ર છે, ક્યાંથી પણ ચૂંટણી લડવા માટે. અમે કેવી રીતે તેને કહી શકીએ કે તેઓ માત્ર હૈદરાબાદથી જ ચૂંટણી લડે. મમતા બેનર્જીના આરોપ છે કે, ઓવૈસીને ભાજપ જાણી જોઇને આગળ કરી રહી છે જેથી મુસ્લિમ મતોની વહેંચણી કરી શકાય, જેના પર શાહે કહ્યું કે, આવું દીદીનું વિચારવું છે.
ભાજપમાં ચાલી રહેલી હિંસાને લઇને પણ અમિત શાહે કહ્યું કે, જ્યારે ભાજપની સરકાર બનશે તો ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરનારા TMCના લોકોને પાતાળ લોકથી શોધી કાઢીશું અને સજા અપાવીશું. બંગાળની રાજનીતિના સૌથી મોટા મુદ્દા અંગે શાહે જણાવ્યું કે, બંગાળને જે સ્વરૂપ આપવું જોઇતું હતુ તેવું નથી. બંગાળની જીડીપી વધવી જોઇએ. ચોતરફથી બંગાળનો વિકાસ થવો જોઇએ. બંગાળના લોકોને ધાર્મિક ઉત્સવ મનાવવા માટે કોર્ટમાં ન જવું પડે.
કોઇ બંગાળી જ બનશે અહીંના મુખ્યમંત્રી
ચૂંટણી જીતવાની સ્થિતિમાં મુખ્યમંત્રી પદને લઇને અમિત શાહે કહ્યું કે, કોઇ બંગાળી જ બંગાળના મુખ્યમંત્રી બનશે, કોઇ બહારનું નહીં. તેમણે કહ્યું કે, બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અહીંના મુખ્યમંત્રી નહીં બને. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય નેતા નક્કી કરશે કે બંગાળના મુખ્યમંત્રી આપણી તરફથી કોણ બનશે. હજુ આના પર કોઇ ચર્ચા જ નથી થઇ.