પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડને લઈને પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન તેમણે કેન્દ્રીય એજન્સીઓ પર પ્રહાર કર્યા હતા.
પશ્ચિમ બંગાળના સીએમ મમતાના મંત્રીની ધરપકડ
શિક્ષક ભરતી કૌભાંડમાં સંડોવાયેલા છે મંત્રી
મમતા બેનર્જીએ પ્રથમ વખત આપ્યું રિએક્શન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડને લઈને પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હું ભ્રષ્ટાચાર અથવા કોઈ ખોટા કામનું સમર્થન નથી કરતી. જો કોઈ દોષિત સાબિત થાય છે, તો તેને સજા આપો, પણ હું મારા વિરુદ્ધ ચલાવવામાં આવતા દુર્ભાવનાપૂર્ણ અભિયાનની નિંદા કરુ છું. સચ્ચાઈ બહાર આવવી જોઈએ, પણ સમય મર્યાદાની અંદર.
A verdict should be given based on the truth, within a given time frame. If someone is found guilty, I do not mind if they are punished with life imprisonment: West Bengal CM & TMC leader Mamata Banerjee pic.twitter.com/SBJpgEh9UR
ટીએમસીના અધ્યક્ષ મમતા બેનર્જીએ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના લોકો કહે છે કે, તે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને મારી પાર્ટીને તોડી શકે છે, તો તે ખોટુ છે.
Neither the govt nor the party has any ties with that woman (Arpita Mukherjee)...I had visited a Durga Puja pandal to inaugurate it. Apparently, a woman was present there. I heard she is Partha's (Chatterjee) friend. Am I God to know who is friends with whom?: Mamata Banerjee
ED એ સ્કૂલમાં નોકરીઓ સંબંધિત કથિત કૌભાંડની તપાસને લઈને પશ્ચિમ બંગાળના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જીની શનિવારે ધરપકડ કરી લીધી છે. એજન્સીએ ચેટર્જીના નજીકના સહોયગી અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી છે. જેમના ઠેકાણ પરથી 21 કરોડ રૂપિયા રોકડ જપ્ત થઈ છે.