લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં હિંસા શાંત થવાનું નામ લેતી નથી. શનિવારે સાંજે 24 પરગના જિલ્લાના નજત વિસ્તારમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. બંને પાર્ટીઓના સૂત્રોએ આ અંગેનો દાવો કર્યો છે.
જો કે પોલીસે આ મોતને લઇને કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. પોલીસે જણાવ્યું હતું કે સ્થિતિને નિયંત્રિત કરવા માટે ભારે સંખ્યામાં પોલીસ દળને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યો છે. ભાજપના સૂત્રોએ દાવો કર્યો છે કે સંબંધિત વિસ્તારમાં પાર્ટીના ઝંડા હટાવવાને લઇને હિંસાની શરૂઆત થઇ હતી.
ભાજપના નેતા સાયંતન બસુના કહેવા અનુસાર ભાજના ત્રણ કાર્યકર્તા (સુકાંતા મંડલ, પ્રદીપ મંડલ અને શંકર મંડલ)ની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ હત્યા ટીએમસીના કાર્યકર્તાઓને ભાજપના ઝંડા હટાવતા રોકવામાં આવ્યા ત્યારે કરવામાં આવી છે.
બસુએ કહ્યું કે અમને અમારા ત્રણ કાર્યકર્તાઓના મૃતદેહ મળ્યા છે. અમે સાંભળ્યું છે કે હજુ બે કાર્યકર્તાઓની પણ મોત થઇ છે પરંતુ તેમના મૃતદેહ અમને મળ્યાં નથી. ભાજપના વરિષ્ઠ નેતા મુકલ રોયે જણાવ્યું કે પાર્ટીની આ ઘટના અંગે કેન્દ્રીય પ્રધાન અમિત શાહને જણાવીશું.
3 BJP workers shot dead by TMC goons in Sandeshkhali, West Bengal. @mamataofficial is directly responsible for unleashing violence against BJP workers.
We will be reaching Union Home Minister Sh @amitshah ji to apprise him of Sandeshkhali killings.
પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગના જિલ્લામાં શનિવારે રાત્રે TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસા થઇ છે. બાસિરહાટ શહેરના સંદેશખાલીમાં પાર્ટીઓના ઝંડા હટાવવાને લઇ બંને પાર્ટીઓના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ ઘટના નજત વિસ્તારમાં થઇ જેમાં 4 કાર્યકર્તાઓનું મોત નિપજ્યું છે.
જેમાંથી 3 કાર્યકર્તા ભાજપના અને એક ટીએમસીના હોવાનું સામે આવ્યું છે. જો કે આ ઘટનાને લઇ બંને પાર્ટીએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા. ભાજપના મૃતક કાર્યકરોમાં તપન મોંડલ, સુકંતા મોંડલ અને પ્રદીપ મોડંલ છે. ત્યારે ભાજપ નેતા મુકુલ રોયે દાવો કર્યો કે, ટીએમસીના લોકોએ ત્રણ ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરી છે.