તેલંગણાના CM ચંદ્રશેખર રાવે કેન્દ્રની મોદી સરકારને બરાબરની નિશાન પર લેતા આકરા પ્રહાર કર્યાં છે.
તેલંગણાના CM ચંદ્રશેખર રાવના કેન્દ્ર પર આકરા પ્રહાર
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર જુઠું બોલી
ખેડૂત આંદોલનને સમર્થન, સરકાર રદ કરે કૃષિ કાયદા-ચંદ્રશેખર રાવ
ફાલતુ ટીપ્પણી કરી તો ભાજપ નેતાઓની જીભ કાપી લેવાશે-સીએમ રાવ
હૈદરાબાદમા મીડિયા સાથે વાત કરતા ચંદ્રશેખર રાવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર જુઠું બોલી છે. કાચા તેલની કિંમતો 2014 માં 105 અમેરિકી ડોલર હતી અત્યાર હવે 83 ડોલર છે પરંતુ ભાજપ જનતા સાથે જુઠુ બોલ્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યાં છે.
ખેડૂત આંદોલનને સમર્થન, સરકાર રદ કરે કૃષિ કાયદા-ચંદ્રશેખર રાવ
ખેડૂત આંદોલન પર મોટું નિવેદન આપતા ચંદ્રશેખર રાવે જણાવ્યું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને અમે સમર્થન આપીએ છીએ. કેન્દ્ર સરકારે આ ત્રણ કાયદાને રદ કરવા જોઈએ.
Centre has lied on petrol and diesel prices, crude oil prices was 105 US dollars in 2014 and now it is 83 US dollars. BJP lied to public saying that prices of petrol and diesel have increased internationally: Telangana CM K Chandrashekhar Rao in Hyderabad pic.twitter.com/SvkriJy3AC
ભાજપ નેતાઓને ચેતવણી આપતા ચંદ્રશેખર રાવે જણાવ્યું કે જો કોઈ નેતાઓએ તેમની પર ફાલતુ ટીપ્પણી કરી તો તેમની જીભ કાપી લેવામાં આવશે. ચંદ્રશેખર મોઘવારીના મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા.