રાજ્યમાં પાણીની સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં હાલ 2થી 3 સેમી જેટલો વધારો થયો છે. આમ હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 119.47 મીટરે પહોંચી છે.
સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી 4000 ક્યુસેક પાણીની આવક થઇ છે. સરદાર ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર પહોંચી છે. આમ ગુજરાતને પીવા-સિંચાઈ માટે 1 વર્ષ સુધી ચાલે એટલું પાણી ડેમમાં છે.
રાજ્યની જનતા અને સરકાર માટે સારા સમાચાર કહી શકાય કે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. આમ આ વર્ષે ગુજરાતમાં લોકને પાણીની સમસ્યા નહીં રહે તેવું માનવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે આખા ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં રાહતના સમાચાર છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે, હાલ ડેમની સપાટી 119.47 મીટરે પહોંચી છે.