બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / watch viral videos and pics nayanthara vignesh shivan offer food to the needy people after marriage

મદદ / 1 લાખ લોકોને ભોજન-મંદિરમાં ખાસ પૂજા: સાઉથના સુપરસ્ટાર કપલના લગ્ન પછીના કામો ખૂબ ચર્ચામાં

Arohi

Last Updated: 12:14 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નયનતારા અને વિગ્નેશ શિવન લગ્ન બાદ લાંબી હનીમૂન ટ્રિપ પર જવાને બદલે મંદિરોનો પ્રવાસ કરી રહ્યા છે. જ્યાં તે અન્નદાન કરી રહ્યા છે.

  • લગ્ન બાદ હનીમુન પર નથી ગયા નયનતારા અને વિગ્નેશ 
  • મંદિરોમાં જઈને કરી રહ્યા છે અન્નદાન 
  • જરૂરીયાતમંદોને કરાવી રહ્યા છે ભોજન 

નયનતારા અને વિગ્નેશ ભારતીય સિનેમાના કપલ્સથી સૌથી અલગ છે. સામાન્ય રીતે સેલેબ્સ મેરેજ પછી સીધા હનીમૂન ટ્રિપ પર નિકળી જાય છે. ત્યાં જ સાઉથના આ કપલ 7 ફેરા લીધા બાદ સતત મંદિરોના પ્રવાસ કરી રહ્યા છે. જાણકારી અનુસાર, નયનતારા અને વિગ્નેશ આજકાલ મંદિરોમાં અન્નદાન કરી રહ્યા છે. અને જરૂરિયાતમંદોને ભોજન કરાવી રહ્યા છે. હવે તે કેરળના ચેટ્ટીકુલંગરા દેવી મંદિર પહોંચ્યા છે. જ્યાં 2 વીક રહેશે અને ખાસ પૂજા કરશે. 

વૃદ્ધાશ્રમોમાં કરાવ્યું ભોજન 
નયનતારા અને વિગ્નેશે હજારો અનાથ બાળકો અને વૃદ્ધ લોકોને તેમના લગ્ન બાદ બપોરનું ભોજન કરાવ્યું છે. દંપતિએ સ્વાદિષ્ટ દક્ષિણ ભાતીય ભોજન આખા તમિલનાડુમાં અનાથાલયો અને વૃદ્ધાશ્રમોમાં આપ્યું છે. જરૂરીયાતમંદોને ભોજન કરાવવા અને કપલને આશીર્વાદ આપતી ઘણી તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે વાયરલ થઈ રહ્યા છે. 

18 હજાર બાળકોને કરાવ્યું ભોજન 
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં બાળક અને વૃદ્ધોને નયનતારા અને વિગ્નેશ શિવનને સુખી વૈવાહિક જીવન માટે આશીર્વાદ આપતા જોઈ શકાય છે. કૃતજ્ઞતાના પ્રતીકના રૂપમાં દંપતિએ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે તમિલનાડુમાં 18,000 બાળકો અને 1 લાખ લોકો માટે બપોરે ભોજનની મેજબાની કરવાનો નિર્ણય કર્યો હતો. આ કપલ પોતાના ફેન્સના દિલ જીતવાની સાથે જરૂરીયાતમંદોની દુવાઓ પણ મેળવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ