અમરાઈવાડી વિસ્તારમાં આવેલા હાટકેશ્વરમાં 65 વર્ષના રાજારામ મદ્રાસીની ગેરકાયદેસર બાંધકામ વિવાદમાં ઘર પાસેથી બાઇક પર અપહરણ કર્યું અને મોદીનગર લઈ જઈને હત્યા કરી
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં વૃદ્ધની હત્યાનો મામલો
વૃદ્ધનું અપહરણ કરીને હત્યાને અપાયો અંજામ
ગેરકાયદેસર બાંધકામના વિવાદમાં કરી હત્યા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત છે. અમરાઈવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના વિવાદને લઈને ચાલી રહેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાડોશીએ પાડોશમાં જ રહેતા વૃદ્ધનું બાઇક પર અપહરણ કરીને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી છે. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રક્તરંજીત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વધુ એક હત્યાનો બનાવ અમરાઇવાડીમાં બન્યો છે.
અમરાઈવાડી વિસ્તારમાં આવેલા હાટકેશ્વરમાં 65 વર્ષના રાજારામ મદ્રાસીની ગેરકાયદેસર બાંધકામ વિવાદમાં 4 શખ્સો હાટકેશ્વરમાં તેમના ઘર પાસેથી બાઇક પર અપહરણ કર્યું અને મોદીનગર લઈ જઈને હત્યા કરી નાખી છે. સ્થાનિક લોકો મુકપેક્ષક બનીને જોતા રહ્યાં જ્યારે આરોપીએ વૃદ્ધની જાહેરમાં હત્યા કરી દિધી હતી. આરોપીઓને કાયદાનો ડર નથી તે આ ઘટના પરથી દેખાય છે. જાહેરમાં રાજારામની હત્યાથી આખા પરિવારમાં ભયનો માહોલ છે.
આ હત્યા કેસમાં પોલીસે 2 આરોપી હરીશ નાયકર અને માધવ નાયકરની ધરપકડ કરી છે. મૃતક રાજારામ મદ્રાસીએ 15 વર્ષ અગાઉ ચીનેયા નાયકર, માધવન નાયગર, હરીશ નાયકર, ચંદુ નાયકર સામે અમરાઈવાડીના મોદીનગરમાં આવેલા તેમના 4 મકાનની બાજુ આવેલ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્ટમાં કેસ કર્યો છે. જેના મુદ્દે અવાર નવાર બોલાચાલી થતી હતી. અને આજ જમીન વિવાદની અદાવત રાખીને મોદીનગર પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર થઈ ગયા હતાં. આ મામલે બે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. જ્યારે અન્ય બે ફરાર આરોપી ચીનીયા નાયકર અને ચંદુ નાયકરની શોધખોળ શરૂ કરી છે.