બસપાના સુપ્રીમો માયાવતીએ ફરીએકવાર કોંગ્રેસને ખુલ્લી ચેતવણી આપી છે. માયાવતીએ ટ્વિટ કરી ભાજપ અને કોંગ્રેસ પર વાર કર્યા છે.માયાવતીએ કહ્યું કે, સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાના મામલે કોંગ્રેસ પણ ભાજપથી કંઈ કમ નથી.
મધ્યપ્રદેશની ગુના લોકસભા બેઠક પરથી બસપા ઉમેદવારને કોંગ્રેસે ડરાવી-ધમકાવીને પરાણે બેસાડી દીધા હતા, પરંતુ બસપા પોતાના નિશાન પર જ ચૂંટણી લડીને કોંગ્રેસને તેનો જવાબ આપશે. તેમણે જણાવ્યું હતું કે, હવે કોંગ્રેસ સરકારોને સમર્થન યથાવત રાખવા મામલે પુનર્વિચાર કરવા પર વિચાર કરવામાં આવશે.
ટ્વીટ કરી આપી ચેતવણી
માયાવતીએ એમ પણ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતો એવો પ્રચાર કે, ભાજપ ભલે જીતે, પરંતુ સપા-બસપા ગઠબંધન ન જીતવું જોઈએ, આ બાબત કોંગ્રેસ પાર્ટીના જાતિવાદી અને બેવડા ચરિત્રને ઉજાગર કરે છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોનું એ માનવું સાચુ છે કે, ભાજપને માત્ર અમારૂ ગઠ્બંધન જ હરાવી શકે છે. લોકો સાવધાન રહે.
सरकारी मशीनरी के दुरुपयोग के मामले में कांग्रेस भी बीजेपी से कम नहीं। एमपी के गुना लोकसभा सीट पर बीएसपी उम्मीदवार को कांग्रेस ने डरा-धमकाकर जबर्दस्ती बैठा दिया है किन्तु बीएसपी अपने सिम्बल पर ही लड़कर इसका जवाब देगी व अब कांग्रेस सरकार को समर्थन जारी रखने पर भी पुनर्विचार करेगी।
શું હતું કારણ..?
મધ્યપ્રદેશના ગુના-શિવપુરીથી જ્યોતિરાદિત્ય સિંધિયા વિરૂદ્ધ ઉભા રહેલા બસપા ઉમેદવાર લોકેન્દ્ર સિંહ રાજપુત કોંગ્રેસમાં શામેલ થયા છે. બસપા માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે. જેનાથી સિંધિયાને તેનો લાભ થશે.
गुना संसदीय क्षेत्र से बहुजन समाज पार्टी के युवा प्रत्याशी श्री लोकेंद्र सिंह धाकड़ जी ने आज कांग्रेस में शामिल होकर अपना समर्थन हमे दे दिया है - कांग्रेस परिवार में आपका स्वागत है।
मुझे पूर्ण विश्वास है की आपके आने से पार्टी और मजबूत होगी। pic.twitter.com/xjSz3c2pFb
લોકેન્દ્રસિંહ રાજપુતે સિંધિયાની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયા આ બેઠક પર 4 વાર ચૂંટણી જીતી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને બીએસપીનું સમર્થન છે. માયાવતીનું નિવેદન આ રાજ્ય સરકારોમાંથી સમર્થન પાછુ ખેંચવાને લઈને હોઈ શકે છે. જો બસપા કોઈ પગલું ભરે તો કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.