મહીસાગર જિલ્લાના ધૈર્યરાજસિંહ રાઠોડના ઈલાજ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રૂ.16 કરોડ એકઠા થઈ ગયા છે, બ્લડ સેમપલ નેધરલેન્ડ મોકલવામાં આવશે
સોશિયલ મીડિયાની સમાજ સેવા
ધૈયરાજસિંહના ઈલાજ માટે રૂ.16 કરોડ એકઠા કર્યા
ધૈયરાજસિંહ SMA 1 નામની ગંભીર બીમારીથી પીડિત
સોશિયલ મીડિયાની સમાજ સેવાની ધૈર્યરાજસિંહને નવું જીવનદાન મળ્યું છે. ધૈયરાજસિંહની મદદ માટે સમગ્ર ગુજરાત એક થયું છે. લોકોએ સોશિયલ મીડિયા સહિત તમામ માધ્યમથી આ બાળકને મદદ પહોંચાડી છે. ઈલાજ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રૂ.16 કરોડ એકઠા થઈ ગયા છે. ધૈયરાજસિંહના પિતા રાજદીપસિંહએ પોતાના સંઘર્ષની વાત VTV સાથે કરી છે.
ધૈર્યરાજના પિતાને સોશિયલ મીડિયાથી મળી હતી જાણકારી
ધૈયરાજસિંહને SMA-1 નામની ગંભીર બીમારી છે. આ બીમારીની જાણ થયા બાદ સૌપ્રથમ ધૈર્યરાજના પિતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી બીમારી વિશે જાણકારી મેળવી હતી. તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે, મહારાષ્ટ્રની દીકરી આજ બીમારીમાંથી સાજી ચૂકી છે. રાજદીપસિંહે મહારાષ્ટ્રની દીકરીના પિતાનો સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યો હતો. અને રાજદીપસિંહે બીમારીના ઈલાજ વિશે જાણકારી મેળવી હતી. જે બાદ સમગ્ર ગુજરાતને આ બીમારી અને ધૈર્યરાજસિંહ માટે મદદની ગુહાર લગાવી હતી. આજે સમગ્ર ગુજરાતે એક થઈ ધૈર્યરાજસિંહ માટે 16 કરોડ રૂપિયા એકઠા કરી દીધા છે.
ધૈર્યરાજના બ્લડ સેમપલ નેધરલેન્ડ મોકલાશે
હવે ધૈર્યરાજસિંહની બીમારીના ઈલાજ માટે બ્લડ સેમ્પલ નેધરલેન્ડ મોકવામાં આવશે. અને પેમેન્ટ આપ્યાના 12થી 15 દિવસમાં દવા મળી રહેશે. તો વિદેશમાંથી આયાત પર ધૈયરાજના ઈલાજ માટે નિર્મલા સિતારમણે ટેક્ષ માફી આપી છે. રૂ.6.5 કરોડની ટેક્ષ માફીની મનસુખ માંડવિયાએ ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી છે. પિતા રાજદીપસિંહે તેમને મળેલા સહકાર બદલ લોકોનો તથા મીડિયાનો આભાર માન્યો છે. પિતાએ જણાવ્યું કે, ધૈયરાજની વહેલામાં વહેલી તકે સારવાર કરવામાં આવશે.
ઈન્જેક્શનની કિંમત 22 કરોડ કેમ?
ઝોલગેંજમા 2 વર્ષથી નીચેના બાળકને એક જ વાર આપવાનું ઈંજેક્શન છે
સ્પાઈનલ મસ્ક્યુલર અટ્રોફી નામના રોગ માટે આ ઈન્જેક્શન આપવામાં આવે છે
તાજા જન્મેલા બાળકમાં પ્રોટીન બનતું બંધ થઈ જાય એવા રોગનું આ ઈન્જેક્શન છે
આ રોગ બાળકનો થોડા જ મહિનામાં ભોગ લઈ લે છે
ઝોલગેંજમાં વિશ્વની પ્રખ્યાત નોર્વાટિસ ફાર્મા કંપની બનાવે છે અને તેની મોનોપોલી છે
નોર્વાટિસે આ ઈન્જેક્શન બનાવવાનો ફોર્મૂલા અમેરિકન કંપની એવેક્સિસ પાસેથી મોટી રકમમાં ખરીદ્યો છે
ઈન્જેક્શન બનાવવા માટે કંપનીને બ્રિટન સરકાર અને સખાવતી સંસ્થાઓએ મદદ કરી હતી
ઈન્જેક્શન બનાવવા માટે આ રોગના દર્દીઓના સંબંધી-મિત્રોએ પણ મદદ કરી છે
આ ઈન્જેક્શનના એક જ ડોઝમાં શરીરના મૃત જિનેટીક્સને બદલીને નવા બનાવે છે
કંપનીના દાવા પ્રમાણે દર્દીનું જીવન કેટલું લંબાય છે એના આધારે ઈન્જેક્શનની કિંમત નક્કી કરી છે
કંપની દાવો કરી રહી છે કે આ ઈન્જેક્શનમાં કંપનીનો નફો નજીવો છે
નોર્વાટિસ આ ઈન્જેક્શનને 5 વર્ષના હપ્તામાં ખરીદવાની છૂટ બ્રિટનમાં આપે છે
જો ઈન્જેક્શન અસર ન કરે તો કેટલાક નાણાં કંપની દર્દીને પરત પણ આપે છે