'હવે, કયા રાજકીય પથ પર હાર્દિક પટેલ? કોંગ્રેસના કયા-કયા નેતાથી હાર્દિક અસંતુષ્ટ? જાણો તમામ સવાલોના જવાબ
હાર્દિક પટેલ EXCLUSIVE
હાર્દિકને પહેલીવાર ક્યારે એવું લાગ્યું કે કોંગ્રેસ છોડી દેવી જોઈએ?
`ચિકન સેન્ડવિચ પર મંથન'નો ઘટનાક્રમ શું છે?
જૂની કહેવત છે કે ક્રાંતિ એના જનકને ભરખી જાય છે, અથવા તો સાદી ભાષામાં કહીએ તો ક્રાંતિકારી કે આંદોલનકારી જેનો વિરોધ કરતા હોય અંતે એ જ પ્રવાહમાં ઢળી જાય છે. અમે એવા નિષ્કર્ષ ઉપર નહીં આવીએ કે હાર્દિક પટેલે શરૂ કરેલું આંદોલન તેને ભરખી ગયું કે કેમ પણ 2015માં જે વળાંક ગુજરાતના સામાજિક અને રાજકીય ક્ષેત્રે આવ્યો તે વળાંક કંઈક જુદી જ રીતે 2022માં આવશે એ નક્કી છે.
હાર્દિક પટેલે કોંગ્રેસને ત્રણ વર્ષે અલવિદા કહી દીધું જેના વિસ્તૃત કારણો વિશે ચર્ચા કરવા તેઓ VTV ગુજરાતી સાથે જોડાયા હતા. જેમાં પત્રકાર દિક્ષિત ઠકરારના ધારદાર સવાલોના જવાબો આપ્યા હતા.
શું તમારો સમાજમાં વિરોધ નહીં થાય?
જ્યારે મૈ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી ત્યારે પણ અમુક લોકો મારો વિરોધ કરતાં અને જ્યારે છોડી પણ તે લોકો વિરોધ કરી રહ્યા છે. આંદોલનમાં 9 મહિના હેરાન થયો, જેલમાં ગયો ઘણું બધુ કર્યું, ઘણા લોકો એવું કહે છે કે ડર ના માર્યો હાર્દિકે કોંગ્રેસ છોડી દીધી, હાલમાં પણ મારી પર 21 કેસ છે જેમાંથી 2 રાજદ્રોહના કેસ છે. અમુક લોકોનું કામ માત્ર વિરોધ કરવાનું છે જે સારું કરો તોય વિરોધ કરે છે અને કઈંક ખરાબ થઈ જાય તો..
2019માં તો કોંગ્રેસ સારી લાગતી હતી?
2019 મને એમ હતું કે ચાલો ગુજરાત માટે સારું કઈક કરીએ પણ કોંગ્રેસમાં જોડાયા બાદ ખબર પડી કે કેટલી હદે જુથવાદ ચાલે છે. અને માટે જ 3 વર્ષ બાદ નિર્ણય કર્યો છે આ પાર્ટીમાં આવવું મારી ભૂલ હતી. એ પણ ખબર પડી કે લોકો કેમ કોંગ્રેસને મત નથી આપતા
સરકારનો માત્ર વિરોધ કરવાનુ વિરોધપક્ષનુ કામ નથી
છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ કોંગ્રેસને નથી સ્વિકારી પણ મારા નિર્ણયને લોકો વધાવી રહ્યા છે. કોંગ્રેસે રામ મંદિર, કલમ 370 નો વિરોધ કર્યો હતો, સરકાર સારા કામ કરે તો સરાહના પણ કરવી જોઈએ, ઘણો એવો વર્ગ છે જે નરેન્દ્ર મોદીનું નામ હોય એટલે વિરોધ કરી જ નાખવાનો એવું વિચારે છે. મારા નામનો વિરોધ કરનારાનો પણ વર્ગ છે જેમનું કામ જ છે કે હાર્દિક સારું કરે કે ખરાબ વિરોધ જ કરવાનો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 20, 2022
PM કે ગૃહમંત્રીને મળીશ ત્યારે જાહેરમાં કહીશ
મારી કિતાબ ખુલ્લી છે. હું જ્યારે PM કે ગૃહમંત્રીને મળીશ ત્યારે જાહેરમાં વાત કહીશ, મે કેરસિયો ધારણ કરવાનુ હજુ વિચાર્યું નથી. હું જે પક્ષમાં જોડાઈશ તે લોકોને કહીને જોડાઈશ અને ગર્વથી કેમ જોડાયો છું તેનો વિગતો આપીશ
કોંગ્રેસ પર કર્યા આરોપ
કોંગ્રેસે ચિંતા અને ચિંતન કરવાની છે. કોંગ્રેસે ભારત જોડોનો નારો આપ્યો છે. કોંગ્રેસે "કોંગ્રેસ ના છોડો" નો નારો આપવો જોઈએ, આટલા બધા લોકો કોંગ્રેસને શા માટે છોડી રહ્યા છે ?કોંગ્રેસના 7 થી 8 લોકોના કારણે કોંગ્રેસને નુકશાન થઈ રહ્યું છે. પંજાબ કોંગ્રેસના મોટા નેતા સુનિલ જાખડે કોંગ્રેસ કેમ છોડી તેમાં રસ નથી, કારણ જાણવું જરૂરી છે કે કેમ આટલા મોટા ગજાના નેતાઑ કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે. કોંગ્રેસમાં 4 લોકો ઈચ્છે છે કે પાંચમો માણસ ન આવવો જોઈએ. મારા પિતાના અવસાન વખતે કોંગ્રેસના નેતાઓ મારા દુખમાં ભાગીદાર ન થયા તેનુ દુખ છે
..મળીને કહ્યું નરેશભાઈ પસ્તાવો થાય તેવો નિર્ણય ન કરતા
નરેશ પટેલ સાથે મારી લાગણી છે. મે કોંગ્રેસના અનુભવ વિશે નરેશ પટેલને કહ્યુ છે. ગઈકાલે કોંગ્રેસ નેતાઓ નરેશ પટેલના ઘરે ગયા હતા. 10 મીનીટમાં નરેશ પટેલના ઘરે મળીને નીકળી ગયા
નરેશભાઈ પસ્તાવો થાય તેવો નિર્ણય ન કરતા, નરેશ પટેલ જે પણ પાર્ટી જોઈન કરે ફાયદો થાય, 2017ની ચૂંટણીમાં મારો ઉપયોગ થયો હતો.
કેટલા નેતાઓ નારાજ થઈ કોંગ્રસ છોડશે સમય આવે ખબર પડશેહાર્દિકે વીટીવી ગુજરાતીને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે મારી નારાજગી ઘણા સમયથી હતી તો શું દાહોદમાં રાહુલ ગાંધી મને 5 મિનિટ ન ફાળવી શકે ? હેલિકોપ્ટર મને પક્ષે આપ્યુ હતુ મે નહતુ માંગ્યું અને કોંગ્રેસમાં મે કોઈ કાર્યકારી અધ્યક્ષનુ પદ પણ નહતુ માંગ્યું. કેટલા નેતાઓ કોંગ્રેસ છોડશે તે સમય આવશે ખબર પડશે. કોંગ્રેસ તાકાત વાળા નેતાઓને સાચવવા નથી માંગતી, મારી સાથે થયુ તેવુ જીગ્નેશ મેવાણી સાથે ન થાય આગળ અલ્પેશ ઠાકોરને પણ હેરાન કરવામાં આવ્યા હતા.કામ જનતાનુ કરો આજુબાજુ રહેતા લોકોનુ નહી.2020 રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોને રાજીનામા આપવાના હતા. 1 નંબર અને 2 નંબર મુદ્દે 5 ધારાસભ્યોએ રાજીનામા આપવાના હતા. લોકતંત્રણ કોઈપણ પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે. સત્તાપક્ષ કરતા પણ વિરોધપક્ષ સૌથી વધુ ખોટુ બોલે છે. રાહુલ ગાંધી અદાણી, અંબાણીને કેમ ગાળો આપે છે?