ભાવનગર માં પીજીવીસીએલ ની પોલીસ કચેરીમાં ફરજ બજાવતા જીતુભા ગોહિલે નિરાધાર અને અશક્ત લોકો માટે કુંભારવાડા વિસ્તારમાં મધર હૉઉસ નામે એક આશ્રમ ખોલ્યો છે જેમાં પોતે લોકો ને ભોજન ,નાસ્તો અને વિના મુલ્યે રહેવાની સગવડ આપી રહ્યં છે અને હાલ અહીં 5 લોકો વસવાટ કરી રહ્યં છે અને તેઓ જીતુભા ની સેવા થી જાણે કે તેમને ઈશ્વર મળી ગયા છે તેમ માની રહ્યાં છે
ફરજ સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ
કડક સ્વભાવના પોલીસનું પ્રેમાળ હ્રદય
પોલીસ કોન્સ્ટેબલની અનોખી સમાજ સેવા
સામાન્ય રીતે આમ આદમી ના મોઢે પોલીસ નું નામ આવે એટલે મોઢું બગાડવામાં આવે છે અને તેને ખરાબ રીતે ચીતરી નાખવામાં આવે છે પરંતુ 24 કલાક કામના બોજ વચ્ચે રહેનારો પોલીસ જવાન બીજાના માટે કયારેક સહિયારો પણ સાબિત થતો હોઈ છે અને આવું જ જોવા મળ્યું છે.
ભાવનગર માં પીજીવીસીએલ ની પોલીસ કચેરીમાં ફરજ બજાવતા જીતુભા ગોહિલે નિરાધાર અને અશક્ત લોકો માટે કુંભારવાડા વિસ્તારમાં મધર હૉઉસ નામે એક આશ્રમ ખોલ્યો છે જેમાં પોતે લોકો ને ભોજન ,નાસ્તો અને વિના મુલ્યે રહેવાની સગવડ આપી રહ્યં છે અને હાલ અહીં 5 લોકો વસવાટ કરી રહ્યં છે અને તેઓ જીતુભા ની સેવા થી જાણે કે તેમને ઈશ્વર મળી ગયા છે તેમ માની રહ્યાં છે
10 જેટલી રૂમો બનાવી છે
ભાવનગર ની પીજીવીસીએલ કચેરીમાં પપોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીતુભા ગોહીલ પોતાની ફરજ દરમયાન અશક્ત અને નિરાધાર લોકો ને જોત તેમનું હૃદય પીગળી ગયું અને આવા નિરાધાર વૃધ્ધોના પુત્ર બનવાનું નકકી કર્યું અને અત્યારે તેઓ આ વડીલો માં લોકપ્રિય બન્યા છે ભાવનગર ના કુંભારવાડા ખાતે આવેલ ખાર ની જમીન માં તેમને 10 જેટલી રૂમો બનાવી છે અહીં તેમને રૂમ માં વડીલો ને સુવા સેટી ,ટિપાઈ, તેમજ નયા વ્યવસ્થા ઉભી કરી છે અહીં રહેતા લોકો ને સવારે નાસ્તો ,બપોરે જમવાનું અને ચા પાણી સહિત ની સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે જીતુભા ગોહિલ પોલીસ માં ફરજ બજાવે છે પરંતુ તેમને ફિલ્ડ ના કામકાજ દરમયાન અનાથ અને નિરાધાર તેમજ એકલવાયું જીવન જીવતા વડીલો ની વ્યથા સાંભળી અને તેમના મન માં વિચાર આવ્યો કે મારે કંઈક કરવું છે તો આવા લોકો માટે બસ ત્યાર થી જ તેમને પોતાના સ્વ ખર્ચે મધર હાઉસ ઉભું કર્યું છે અને આજે અહીં 5 થી વધુ આવા નિરાધાર લોકો વસવાટ કરી રહ્યં છે
જીતુભાએ મધર હાઉસ ઉભું કર્યું
ભાવનગર માં રોડ ઉપર મજબુર બની ને જીવ નજીવનારા લોકો માટે જીતુભાએ મધર હાઉસ ઉભું કર્યું છે અને તેમાં હજુ સુધી કોઈ ની આથીક સહાય લીધી નથી હાલ તેમના પગાર માંથી આ લોકો માટે જમવાનું તેમજ નાસ્તા પાણી ની વ્યવસ્થાકરી રહ્યં છે અહીં રહેતા લોકો માટે તેમને કેટલીક ધાર્મિક પુસ્તકો પણ વસાવી છે અને લોકો પોતાના ઘર ની જેમ જ અહીં રહે તે પ્રકાર નું વાતાવરણ ઉભું કર્યું છે અહીં રહેતા વડીલો પણ જીતુભા ની કામગીરી થી ખુશ છે અને તેમને ભગવાન માની ને જીવન ગુજરી રહ્યં છે
ભાવનગર માં પોલીસ કર્મચારીએ પોતાની ફરજ ની સાથે સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પડી ને લોકો ને પણ આ પ્રકારની કામગીરીમાં જોડવા આહવના કર્યું છે .