પહેલી સપ્ટેમ્બરથી મતદાર યાદી માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. મતદારો તેમના નામ સહિતના સુધારા કરવા મોબાઈલ એપથી અરજી કરી શકશે અને તેમને ચૂંટણી પંચની કચેરીના ધક્કા ખાવા નહીં પડે.
કારણ કે હવે બી.એલ.ઓ-અધિકારી રજિસ્ટરના બદલે મોબાઇલ સાથે રાખીને ડોર ટુ ડોર સર્વે કરશે અને સાથે સાથે અરજદારનું કામ પણ કરી આપશે. જેને કારણે મતદાતાઓને ખૂબ જ રાહત મળશે ચૂંટણીકાર્ડ અને મતદાર યાદીમાં નામ ઉમેરવાં, નામ કાઢવાં કે સુધારો કરવા જેવી બાબતમાં લોકોને કચેરીએ ખૂબ ધક્કા ખાવા પડે છે.
જેને કારણે અમુક અરજદારો સુધારો કરવાની પ્રક્રિયામાંથી દૂર ભાગતા ફરે છે. તેને કારણે મતદારયાદી પર મોટી અસર પડે છે. ગત ચૂંટણી વખતે પંચ દ્વારા વોટર હેલ્પલાઇન નામની મોબાઈલ એપ લોન્ચ કરાઈ હતી.
એપથી સુધારા માટે અરજી થયાથી અરજી કર્યા બાદ બી.એલ.ઓ મતદારના ઘરે આવીને ખરાઇ કરશે તેમજ ચૂંટણી પંચના અધિકારીઓ માટે બનાવેલી એપ મારફતે તેનો રિપોર્ટ ફાઈલ કરશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ અરજદારને ચૂંટણીકાર્ડ મોકલવામાં આવશે.
આ સિસ્ટમના કારણે અરજદારોને કચેરીએ એક પણ ધક્કો ખાવો પડશે નહીં. તેમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનમાં મતદારો મોબાઈલ એપમાં પોતાનું નામ અને પરિવારનાં નામ ચકાસી લેવાં.
જો તેમાં ભૂલ જણાય અથવા તો બીજા કોઈ સુધારા કરવાના હોય તો તેમાં વિકલ્પ આપવામાં આવેલો હશે. સુધારા માટે અરજદારે તમામ વિગતો ભરી દેવાની રહેશે. તેમ જ ફોટો અને અન્ય પુરાવા જોડવા હોય તો તેને પણ અપલોડ કરવા પડશે. અરજી અપલોડ થતાં જ જે તે સ્થળના બી.એલ.ઓને તેનો મેસેજ મળી જશે.