મોટાભાગના લોકો માને છે કે જો શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોય તો કોવિડ 19ને કારણે મૃત્યુનું જોખમ ઓછું હોય છે, પરંતુ નવા સંશોધનમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે.
શું ખરેખર કોરોનાથી મોતનું જોખમ ઘટાડે છે વિટામિન્સ?
અમેરિકન વૈજ્ઞાનિકોએ કર્યું સંશોધન
થયા ચોંકાવનારા ખુલાસા
અમેરિકાની ટોલેડો યુનિવર્સિટીના સંશોધકોએ વિટામિન્સ અને કોવિડથી મૃત્યુના જોખમ વચ્ચેના જોડાણને સમજવા માટે સંશોધન કર્યું. સંશોધનનાં પરિણામો ચિંતાજનક છે.
થયા ચોંકાવનારા ખુલાસા
અમેરિકન સંશોધકોએ તેમના નવા સંશોધનમાં સાબિત કર્યું છે કે કોવિડ થાય ત્યારે વિટામિન-સી, ડી અને ઝિંક મૃત્યુનું જોખમ ઓછું કરતા નથી. આ સપ્લિમેન્ટ્સને રસીના વિકલ્પ તરીકે ગણવામાં આવે છે, જો કે તે જોખમ ઘટાડતા નથી. તેના પુરાવા પણ મળ્યા છે.
કોરોના દર્દીઓ પર અભ્યાસ
સંશોધક ડો. અઝીઝુલ્લા બેરાન કહે છે કે, ઘણા લોકોમાં એવી ગેરસમજ છે કે ઝિંક, વિટામિન-સી અથવા ડી લેવાથી કોવિડની અસર ઓછી થઈ શકે છે. સંશોધન દરમિયાન આ વાત સાચી સાબિત થઈ નથી. તેને સમજવા માટે સંશોધકોએ વિશ્વના 5600 કોવિડ દર્દીઓ પર કરવામાં આવેલા 26 અભ્યાસોની તપાસ કરી છે.
આ વિટામિન્સ કોરોના નથી ઘટાડતા
સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ સપ્લીમેન્ટ્સ મૃત્યુનું જોખમ ઘટાડતા નથી. જો કે, વિટામિન-ડી અમુક અંશે હોસ્પિટલમાં દાખલ થવાના સમયગાળાને ઘટાડી શકે છે. પરંતુ વિટામિન-સી અથવા ઝિંક દર્દીને વેન્ટિલેટર પર જતા અટકાવવામાં બિલકુલ મદદ કરતા નથી.
કોરોનાના કારણે મૃત્યુને નથી રોકતા વિટામિન્સ
સંશોધકોનું કહેવું છે કે, આ રિસર્ચના પરિણામો પરથી એવું બિલકુલ ન સમજવું જોઈએ કે વિટામિન્સ અને મિનરલ્સ લેવા જોઈએ કે ટાળવા જોઈએ. જો કે, એક વાત સ્પષ્ટ છે કે તેઓ કોવિડથી થતા મૃત્યુને રોકવામાં અસરકારક નથી. જે લોકોમાં પોષક તત્વોની ઉણપ છે, તેઓએ આ સપ્લીમેન્ટ્સ જરૂર લેવા જોઈએ.