દુનિયાના દિગ્ગજ બેટ્સમેનમાં સામેલ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ડિપ્રેશનનો ખુલાસો કર્યો છે.
વિરાટ થયો હતો ડિપ્રેશનનો શિકાર
2014માં માનસિક સ્થિતિ નહોતી સારી
વિરાટે ડિપ્રેશન પર ખુલીને વાત કરી
વિરાટે કહ્યું કે વર્ષ 2014માં જ્યારે ઇન્ગલેન્ડ પ્રવાસ પર તેનુ પફોર્મન્સ ખરાબ રહ્યુ ત્યારે તે સતત અસફળ થઇ રહ્યો હતો. તેને લાગી રહ્યું હતુ કે તે દુનિયામાં એકલો છે.
ઇન્ગલેન્ડના પૂર્વ ખેલાડી માર્ક નિકોલ્સ સાથેની વાતચીતમાં વિરાટે માન્યુ હતુ કે તે સમયમાં તે પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી નીકળ્યા હતા. કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે કોઇ દિવસ ડિપ્રેશનનો શિકાર થયો છે ત્યારે તેણે જવાબ આપ્યો કે, વિચારીને તે સારુ નહોતુ લાગી રહ્યું કે તમે રન બનાવી ન શકો અને બીજા લોકો સારા રન બનાવી રહ્યા હોય ત્યારે તમારુ કોઇ નિયંત્રણ નથી રહેતું.
કોહલી માટે 2014નો ઇન્ગલેન્ડ પ્રવાસ નિરાશાજનક હતો. તેણે પાંચ ટેસ્ટ મેચની 10 ઇનીંગમાં 13.50ની ઓસતથી રન બનાવ્યા હતા. તેનો સ્કોર 1,8,25,0,39,28,0,7,6 અને 20 રન રહ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમણે 692 રન બનાવીને શાનદાર વાપસી કરી હતી.
વધુમાં વિરાટે કહ્યું કે, તમને ખ્યાલ જ નથી આવતો કે આમાંથી બહાર કેવી રીતે આવી શકાય. આ તે સમય હતો જ્યારે હું ચીજોને બદલવા માટે કંઇ નહોતો કરી શકતો. મને એવુ મહેસુસ થતુ હતુ કે હું દુનિયામાં એકલો માણસ છું.
32 વર્ષના કોહલીએ કહ્યું કે તેના જીવનમાં સાથ આપનારા લોકો હતો પરંતુ તેમ છતાં તે એકલતા અનુભવતો હતો. એવુ ન હતુ કે તેની સાથે વાત કરવા માટે કોઇ ન હતુ પરંતુ તે બહુ બધા લોકો વચ્ચે એકલતા અનુભવતો હતો.
અનુશ્કા સાથે લગ્ન
તમને જણાવી દઇએ કે વિરાટ કોહલીએ 2018માં બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. તેઓએ ઇટલીમાં પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતા.
વિરાટ બન્યો પિતા
જાન્યુઆરીમાં વિરાટ કોહલી અને અનુશ્કા શર્માએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. બંનેની દીકરીના નામને લઇને ખુબ ચર્ચા હતી. લોકો કહી રહ્યા હતા કે વિરાટ અને અનુષ્કા તેમની દીકરીનું નામ અનવી રાખશે કે જે બંનેના નામનું મિશ્રણ છે પરંતુ કપલે પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું છે.