ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વિરાટ કોહલીની કપ્તાની ઉપર પ્રશ્ન કરનાર ગૌતમ ગંભીરને વિરાટ કોહલીએ વળતો જવાબ આપ્યો છે. વિરાટે કહ્યું કે જો તે બહારના લોકો જે કહી રહ્યા છે તે વિચારત તો આજે તે પણ ઘરે બેઠો હોત. ગંભીરે તાજેતરમાં કહ્યું હતું કે વિરાટ છેલ્લા 8 વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કપ્તાની કરી રહ્યો છે પરંતુ ટ્રોફી જીતાડી શક્યો નથી. તેમ છતાં બેંગ્લોરે તેને કપ્તાન તરીકે જાળવી રાખ્યો છે, તે ભાગ્યશાળી છે.
હું પણ IPL જીતવા માંગુ છું: વિરાટ
ગંભીરના સ્ટેટમેન્ટ ઉપર વિરાટે તેનું નામ લીધા વગર કહ્યું કે, "નિશ્ચિત રીતે હું પણ આઇપીએલ જીતવા માંગુ છું. હું એજ કરી રહ્યો છું, જેની મારી પાસેથી બધાને અપેક્ષા છે. મારા આઇપીએલ જીતવા કે ન જીતવા પર મારી ટીકા થાય તો હું તેની ચિંતા નથી કરતો. હું હંમેશાં પ્રયત્ન કરું છું કે મારું સર્વશ્રેષ્ઠ આપું. હું તમામ ટાઇટલ જીતવા માંગું છુ પરંતુ ક્યારેક તેવું પોસિબલ નથી થતું.
દબાણમાં ખોટો નિર્ણય લેવાના લીધે ચેમ્પિયન ન બન્યા
વિરાટે કહ્યું કે, દબાણભરી પરિસ્થિતિમાં ખોટો નિણર્ય લેવાના લીધે તેની ટીમ ચેમ્પિયન બની નથી. અમે તેના ઉપર કામ કરીશુ. જો હું બહાર બેઠેલા લોકોની જેમ વિચારીશ તો 5 મેચ પણ નહીં રમી શકુ. હું ઘરે જ બેઠો રહીશ.
ધોની સાથે કોહલીની સરખામણી ન થઇ શકે: ગંભીર
ગંભીર અનુસાર, "કોહલી અને ધોનીની સરખામણી કરવી શક્ય નથી. ધોની 3 વાર IPL જીત્યો છે, જયારે કોહલી એક પણ વાર ટ્રોફી ઉપાડી શક્યો નથી. ગંભીરે વધુ ઉમેરતા કહ્યું હતું કે રોહિત શર્મા પણ 3 વાર ચેમ્પિયન બન્યો છે."