અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડની મૅચ બીજા દિવસે જ સમાપ્ત થઇ ગઇ.
ભારતની જીત બાદ પણ કોહલી નારાજ
ટેસ્ટ મેચમાં જીત બાદ કેમ નારાજ કોહલી
પીચને લઇને થતા સવાલ પર કોહલી અસહમત
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પીચને લઇને ઉઠી રહેલા સવાલો પર સહમત નથી અને તેમણે કહ્યું કે બંને પક્ષની બેટિંગ વ્યવસ્થિત નહોતી.
કોહલીએ મૅચ પ્રેઝન્ટેશન બાદ કહ્યું કે, સાચુ કહુ તો મને લાગે છે કે બંને ટીમની બૅટિંગ સારી ન હતી. કેપ્ટને કહ્યું કે, અમારો સ્કોર પહેલી ઇનિંગ 3 વિકેટ પર 100 રન હતા અને આવી સ્થિતિમાં સારો સ્કોર બનાવવો જોઇએ પરંતુ 150 પર જ આઉટ થઇ ગયા હતા.
વિરાટે કહ્યું કે, મને લાગે છે કે વિકેટ બેટિંગ માટે સારી હતી. બોલ બેટ પર સારી રીતે જ આવી રહી હતી, ખાસ કરીને પહેલી ઇનિંગમાં. વિકેટ પર વધારે ટર્ન થવાની વાત પર કોહલી સહમત ન હતા. તેમણે કહ્યું કે આ હેરાન કરવાવાળી વાત છે કે મેચમાં જે 30 વિકેટ પડી તેમાં 21 વિકેટમાં બોલ એટલો ટર્ન થયો જ નહી. ટેસ્ટ ક્રિકેટમાં તમારે ડિફેન્સ પર જ વિશ્વાસ કરવો પડે છે.
કોહલીએ બેટ્સમેન દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનથી નિરાશા બતાવી હતી. બેટ્સમેન્સે જસ્બો ન બતાવ્યો અને તેના કારણે મેચ જલ્દી સમાપ્ત થઇ ગઇ હતી.
ભારત તરફથી આ મેચમાં 79.2 ઓવર બોલિંગ કરવામાં આવી હતી. જેમાં ઇશાંત શર્મા અને જસમીત બુમરાહે 11 ઓવર જ ફેંકી હતી. કોહલીએ કહ્યું કે આના પર બુમરાહે તેને કહ્યું કે મને રમતા જ વર્કલોડ મેનેજમેન્ટ મળી રહ્યું છે તો ઇશાંતને ફરિયાદ હતી કે તેણે પોતાની 100મી મૅચમાં બોલિંગ કરવા ન મળી.
કોહલીએ અક્ષરની કરી પ્રશંસા
ભારત તરફથી અક્ષર પટેલે મેચમાં 11 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનીંગમાં 6 અને બીજી ઇનીંગમાં 5 વિકેટ લીધી હતી. કોહલીએ કહ્યું કે જ્યારે જાડેજા નહી રમે તેવી વાત સામે આવી હતી ત્યારે લોકોને રાહત થઇ હશે પરંતુ અક્ષર પટેલ સારી હાઇટથી બોલ ફેંકે છે. મને ખબર નથી પડતી કે ગુજરાતમાં એવું શું ખાસ છે કે ત્યાંથી આટલા લેફ્ટ આર્મ સ્પિનર આવે છે.