રાજકોટના ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા ભાજપના ધારાસભ્યની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારબાદ આજે પોપટ ફતેપરાના નિવેદનનો વીડિયો વાયરલ થતાં નરેશ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે.
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પર આક્ષેપ
પોપટ ફતેપરાનો વીડિયો થયો વાયરલ
રાજ્યસભાની સીટના અભરખા હોવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પર કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ આક્ષેપ લગાવ્યા છે. પોપટ ફતેપરાએ કહ્યું કે નરેશ પટેલને રાજ્ય સરકારમાં હોદ્દો અથવા રાજ્યસભાની સીટના અભરખા છે.
નરેશ પટેલ કટ્ટરવાદી હોવાનો આરોપ
તેમણે વધુમાં કહ્યું હતું કે,ખોડલધામમાં અત્યાર સુધી કોઇ કડવા પાટીદારને મહેમાન નથી બનાવાયા. અન્ય દેવી દેવતાને સ્થાન આપી ઉમિયા માતાજીને બાકી રાખી દીધા છે અને ખોડલધામ મંદિરમાં પણ ભેદભાવ કર્યો. પોપટ ફતેહપુરાએ નરેશ પટેલ કટ્ટરવાદી હોવાનો આરોપ લગાવ્યો છે.
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓડિયો ક્લીપ થઇ હતી વાયરલ
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. નરેશ પટેલ અને પરિવાર કોંગ્રેસી હોવાની ઓડિયોમાં ચર્ચા થઇ રહી છે. VTV ન્યુઝ આ ઓડિયો કલીપની કોઇ પુષ્ટિ કરતું નથી.
વારંવાર વિવાદમાં આવી ચૂકેલા રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની એક કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જેમાં નરેશ પટેલ સહિત ધારાસભ્ય ગોવિંદ પટેલ, ધનસુખ ભંડેરીને લઇને પણ વાતચીત થઇ રહી છે. ઓડિયો ક્લીપમાં ખોડલધામના ચેરમેનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ ત્રણેય પર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. એક થઈ રાજરમત રમત હોવાની ઓડિયો કલીપમાં ચર્ચા થઇ રહી છે.
ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઓડિયોમાં ચર્ચા થઇ
કથિત ઓડિયો ક્લિપમાં અરવિંદ રૈયાણી એવુ કહેતા સંભળાય છે કે નરેશ પટેલ મૂળ કોંગ્રેસ કલ્ચર છે અને તેમને જયંતી સરધારાએ એવુ કહ્યું હતું કે ભાજપના બધા કોર્પોરેટરોને ખોડલધામ જવાની જરૂર નથી તેવુ રૈયાણી વારંવાર વિવાદ, થોડા સમય પહેલા ધાર્મિક સ્થળે મળેલ સભાનો ઉલ્લેખ.