ચોમાસામાં વાઈરલ ઇન્ફેક્શન ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ થાય છે. જેના લીધે તાવ આવતો હોય છે ત્યારે તેને કોરોના છે કે બીજી બીમારી છે તે વિશેનું નિદાન કરવું અઘરું બને છે સાથે સાથે આવી બીમારીઓના લીધે શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.
જેના લીધે કોરોનાના સંપર્કમાં આવવાની સંભાવના વધે છે. હાલમાં ચોમાસાની ઋતુ વચ્ચે વાઈરલ ઇન્ફેક્શનના કેસોની સંખ્યા તીવ્ર ગતિએ વધવા લાગતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
લોકોનાં મનમાં રહેલાે કોરોનાનાે ડર ડોક્ટર પાસે જવાનું ટાળે છે એટલું જ નહીં ટેસ્ટ કરાવવાનું પણ ટાળે છે અને ઓનલાઇન મેડિકલ કન્સલ્ટન્સી અને આયુર્વેદનો સહારો લઇ રહ્યા છે. તેમને ડર છે કે ટેસ્ટ કરાવવાથી જો આ ઋતુજન્ય રોગો કોરોનાનાં પ્રાથમિક લક્ષણોને મળતાં આવશે તો હોસ્પિટલાઇઝડ થવું પડશે.
ફિઝિશિયનોના મતે બેદરકારીથી વાઈરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગ સહિત રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો થવાથી કોરોનાનો ચેપ લાગવાની સંભાવના વધારે રહે છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમ્યાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં લોકોને વાઈરલ ઇન્ફેક્શન શરદી, ઉધરસ, તાવ વગેરે રોગોનું પ્રમાણ વધતું હોય છે.
કોરોનાના વધતા કેસની સંખ્યાના કારણે ડોકટરો પણ આવા દર્દીઓને કોરોનાના શંકાસ્પદ દર્દી માનીને સારવાર કરતા હોય છે. જેના કારણે દર્દીઓમાં એક પ્રકારનો ડર રહે છે કે હોસ્પિટલમાં જવું પડશે તો ખર્ચ વધી જશે.
ચોમાસાની ઋતુમાં શરદી, ઉધરસ તાવ, ઉપરાંત પાણીજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા વગેરેનો ફેલાવો પણ વધી જાય છે. જેથી આવા રોગોનો ભોગ બનેલા દર્દીઓની રોગ પ્રતિકારક શકિત ઘટી જતી હોય છે. જેથી તેઓ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવે તો બીજા લોકો કરતાં ઝડપથી કોરોનાનો શિકાર બની શકે છે.