દેશનું મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન -2ના લેન્ડર વિક્રમને લઈને ઈસરોના વૈજ્ઞાનિકોને નવી આશા મળી છે. તેઓએ જણાવ્યું છે કે ચંદ્રની કક્ષામાં વિક્રમ સલામત છે અને ક્ષતિગ્રસ્ત થયું નથી. તે એક તરફ ઝૂકી ગયું છે.
વિક્રમ સહી સલામત, જીવનમાં હજુ પણ છે વસંતની આશા
વિક્રમ સાથે સંપર્કનો કરાઈ રહ્યો છે પ્રયત્ન
એંટીના ઓર્બિટર તરફ હશે તો કનેક્શન થઈ શકશે
હાર્ડ લેન્ડિંગનો શિકાર બન્યું વિક્રમ
ઈસરોના એક વૈજ્ઞાનિકે કહ્યું કે અમે વિક્રમ સાથે સંપર્ક કરવાની શક્ય તમામ કોશિશ કરી રહ્યા છીએ. ચંદ્રની કક્ષાથી 2.1 કીમી દૂર રહેવાની સાથે વિક્રમને ઈસરોએ પહેલાં દિવસે જ શોધી લીધું હતું. વિક્રમ સોફ્ટ લેન્ડિંગ કરવાની તૈયારીમાં જ હતું કે તેને હાર્ડ લેન્ડિંગનો શિકાર બનવું પડ્યું. વૈજ્ઞાનિકોના આધારે ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં લાગેલા કેમેરાએ જે ફોટો મોકલી છે તેનાથી ખ્યાલ આવે છે કે વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું છે. વિક્રમને કોઈ નુકસાન થયું નથી. અમારું માનવું છે કે હજુ પણ વિક્રમ સાથે સંપર્ક થઈ શકે છે.
#VikramLander has been located by the orbiter of #Chandrayaan2, but no communication with it yet.
All possible efforts are being made to establish communication with lander.#ISRO
વિક્રમના જીવનમાં આવી શકે છે વસંત
વિક્રમના જીવનમાં ફરીથી વસંત આવી શકે છે. તેની સંભાવનાને નકારી શકાય નહીં. તેઓએ કહ્યું કે દરેક ચીજની પોતાની સીમા હોય છે. ભૂસ્થિર કક્ષામાં અંતરિક્ષ યાનથી ફરી સંપર્ક કાયમ કરવાનો અનુભવ છે. જો કે વિક્મના સંચાલનમાં સ્થિતિ અલગ છે. પહેલાંથી ચંદ્રની કક્ષામાં પડ્યું અને તેને ફરીથી પહેલાંની જેમ હલાવી શકાશે નહીં.
વિક્રમની સ્થિતિ પહેલાં જેવી છે. પરંતુ તેની સાથે સંપર્ક કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. સોફ્ટ લેન્ડિંગ હોત તો તે હજુ પણ સારી રીતે કાર્ય કરવા સક્ષમ હોત. તેમ છતાં હાલ સુધીની સ્થિતિ સારી છે. જો વિક્રમનો એન્ટીના ગ્રાઉન્ડ સ્ટેશન કે ઓર્બિટરની તરફ હશે તો તેની સાથે સંપર્કની આશા વધી શકે છે.
ઈસરોનું સંકટ મોચક બનશે ઓર્બિટર
હાલમાં ચંદ્રની આસપાસ આંટા મારી રહેલું ચંદ્રયાન 2નું ઓર્બિટર એજન્સી માટે સંકટ મોચક જેવું છે. તેમાં એટલું ઈંધણ છે કે તે નિર્બાધ ગતિથી પોતાનું કામ સાત વર્ષ સુધી સારી રીતે કરી શકે છે. વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે વિક્રમ પાસે પણ ઉર્જા ખૂટે તેવી કોઈ સ્થિતિ નથી. તેને ઉર્જા સૌર પેનલથી મળે છે. જે તેની ચારે તરફ છે. પોતાની અંદરની બેટરીથી તે ઉર્જા મેળવી શકે છે. તેઓએ જણઆવ્યું કે ઈસરોની એક ટીમ ટેલીમેટ્રરી, ટ્રેકિંગ એન્ડ કમાંડ નેટવર્ક પર વિક્રમ સાથે નેટવર્ક સ્થાપિત કરવા માટે દિવસ રાત કામ કરી રહી છે.
હજુ પણ સંપર્કની આશા 70 ટકા જેટલીઃ નાયર
ઈસરોના પૂર્વ પ્રમુખ જી માધવન નાયરે વિક્રમની સલામતીની જાણકારી મળતાં કહ્યું કે વિક્રમ સાથે વફરી સંપર્ક થવાની શક્યતા હજુ પણ 70 ટકા જેટલી છે. વૈજ્ઞાનિક અને ડીઆરઓના પૂર્વ સંયુક્ત નિર્દેશક વીએનઝાએ પણ કહ્યું કે કોઈ પણ દિવસે વિક્રમનો ઈસરો સાથેનો સંપર્ક ફરી જોડાઈ શકે છે.
સિવનનું સોશ્યિલ મીડિયા પર કોઈ પર્સનલ એકાઉન્ટ નથી
સોશ્યિલ મીડિયા પર ઈસરો પ્રમુખ કે. સિવનના નામથી ચાલી રહેલા અનેક એકાઉન્ટ પર એજન્સીએ પ્રકાશ પાડ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે સોશ્યિલ મીડિયા પર સિવનના નામે અને તેમની ફોટો સાથે અનેક એકાઉન્ટ સક્રિય છે. સિવને સોશ્યિલ મીડિયાના કોઈ પ્લેટફોર્મ પર પર્સનલ એકાઉન્ટ રાખ્યું નથી, માટે આવા કોઈ પણ એકાઉન્ટ પરથી મળતી માહિતિ સાચી ગણવી નહીં.