PM મોદીના પ્રવાસ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 13માં સભ્ય તરીકે કોર ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
PM મોદીના પ્રવાસ બાદ લેવાયો મહત્વનો નિર્ણય
વિજય રૂપાણીનો 13માં સભ્ય તરીકે કોર ગ્રુપમાં સમાવેશ
ભાજપ સંગઠન દ્વારા 12 સભ્યની કોર ગ્રુપ સમિતિની કરાઈ હતી રચના
પૂર્વ CM વિજય રૂપાણીનો ભાજપના કોર ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, અગાઉ ભાજપ સંગઠન દ્વારા 12 સભ્યની કોર ગ્રુપ સમિતિની રચના કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, જીતુ વાઘાણી, પ્રદિપસિંહ વાઘેલા સહિતના નેતાઓનો સમાવેશ કરાયો હતો. ત્યારે હવે આ ટીમમાં વિજય રૂપાણીનો પણ સમાવેશ કરાયો છે. PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ વિજય રૂપાણીને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, સી.આર પાટીલે થોડાંક સમય પહેલાં પ્રદેશ કોર ગ્રુપ અને પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોની નિમણૂંક કરી હતી. જેમાં નીચેના નેતાઓનો સમાવેશ કરાયો હતો.
જાણો કોર ગ્રુપમાં કયા-કયા સભ્યોનો છે સમાવેશ?
સી.આર. પાટીલ
ભુપેન્દ્ર પટેલ
રત્નાકર
પ્રદિપસિંહ વાઘેલા
રજનીકાંત પટેલ
ભાર્ગવ ભટ્ટ
વિનોદ ચાવડા
રંજનબેન ભટ્ટ
જીતુ વાધાણી
હર્ષ સંધવી
શંકર ચૌધરી
ગણપત વસાવા
વિજય રૂપાણી
અત્રે મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રની બેઠકો જીતવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાજપે ફરજીયાત પણે આગળ રાખવા પડે તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં જ વિજય રૂપાણીનો 13માં સભ્ય તરીકે કોર ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉ આ 12 સભ્યોની કોર ગ્રુપ સમિતિની રચના કરાઈ હતી
PM મોદીના આગમન બાદ 13માં સભ્ય તરીકે રૂપાણીનો સમાવેશ
આ કોર ગ્રુપમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, રજનીકાંત પટેલ, ભાર્ગવ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાધાણી ગૃહ રાજયમંત્રી હર્ષદ સંધવી, પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને ગણપત વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાતની મુલાકાત બાદ કોર ગ્રુપના 13માં સભ્ય તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.