નવી દિલ્હીઃ વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાશે. VHPએ પોતાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ગુરુગ્રામમાં યોજાશે. મહત્વનું છે કે 52 વર્ષ બાદ પહેલીવાર અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ રહી છે. સાથે જ ભાજપ અને આરએસએસ સાથે પ્રવીણ તોગડીયાના સંબંધોમાં ચકમક વચ્ચે અધ્યક્ષ પર તમામની નજર છે. આ ચૂંટણી માટે 273 મતદાતાઓ છે.
પ્રવીણ તોગડીયાએ આરોપ લગાવ્યો છે કે VHPની મતદાર યાદીમાં 37 નકલી મતદાતાઓ છે. તો પરિષદના મહામંત્રી ચંપત રાયે કહ્યું કે પ્રવીણ તોગડિયા સાથે તેમના કાર્યકરતાઓ VHP ઓફિસ આવ્યા હતાત અને ચૂંટણી પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
તો આ ચૂંટણી ખાસ એટલા માટે માનવામાં આવી રહી છે કે પ્રવીણ તોગડીયાના પીએમ મોદી સાથે સંબંધોમાં તિરાડ પડેલી છે. તો ભાજપ અને સંઘ નથું ઈચ્છતુ કે 2019માં તોગડીયા વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ બને.