રાજ્યમાં મોંઘવારીએ ફરી માજા મૂકી છે, વરસાદ આવતા જ ખેડૂતો ખુશ થઇ જતા હોય છે પરંતુ અતિવૃષ્ટિથી ક્યારેક ખેડૂતોએ રડવાનો વારો આવે છે. ત્યારે હવે એકવાર ફરી શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓએ બજેટને લઈને રડવાનો વારો આવ્યો છે.
શાકભાજીના ભાવ પર રાહતની આશા રાખતી ગૃહિણીઓ
શાકભાજીની આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવ વધ્યા
શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીના રસોડાની રોનકમાં થઇ ફિક્કી
રાજ્યમાં મેઘરાજાએ ક્યાંક મહેર કરી છે તો ક્યાંક કહેર બનીને વરસ્યા છે. ત્યારે વધુ પડતા વરસાદને કારણે શાકભાજીના પાકને નુક્શન થતા માલની આવક ઘટી છે, જેથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
છેલ્લા સપ્તાહમાં સુરત જિલ્લા ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદને લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટે સેવાઓ પણ ખોરવાઇ છે. બહારગામથી આવતી શાકભાજીના દરમાં ઉછાળો નોંધાયો છે. જેથી આ ભાવ ઘટે તેવી આશા હવે જનતા રાખી રહી છે. સામાન્ય પ્રજા પર પડતા પર પાટું સમાન શાકભાજીના ભાવ વધતા શું ખાવું એ પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે ગૃહિણીઓ પણ શાકભાજીના ભાવ ઘટશે તેવી આશા રાખીને બેઠી છે.
શાકભાજીના પ્રતિકિલોના ભાવ
ટામેટાના જૂનો ભાવ 20 હતા જે વધીને 70થી 80 થયા
બટાકા જૂની ભાવ 30 હતા જે વધીને 40થી 50 થયા
મરચા જુના ભાવ 40થી 50 હતા જે વધીને 80 થયા
કંકોળા જૂનો ભાવ 100 જે વધીને 120 થયા
કોથમીર 100 હતા જે વધીને 200 રૂ.થયા
ચોળી 70થી 80 હતા જે વધીને 100થી 150
ટીંડોળાં 40થી 50 હતા જે વધીને 80 રૂ.થયા
દુધી 25 રૂ. હતા જે વધીને 70 રૂ.થયા
ગવાર જુના ભાવ 80થી 70 હતા જે વધીને 120 થાય
ડુંગળીના જુના ભાવ 20 રૂ હતા જે વધીને 40થી 50 થઇ
રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ
બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર પણ સામે આવી રહ્યા છે. રાજ્યના કચ્છ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દ્વારકા, જૂનાગઢ, જામખંભાળિયા, પોરબંદર અને ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો હજુ હવામાન વિભાગે 2 દિવસની આગાહી આપી છે.