વાસ્તુ શાસ્ત્ર મુજબ, લીંબુ થોર વગેરે કાંટાવાળા છોડને ઘરની અંદર ના લગાવવા જોઈએ. આ સાથે એવા છોડ જેમાંથી દૂધ નિકળે છે તેવા છોડને પણ ના લગાવવા જોઈએ.
કાંટાવાળા છોડને ઘરની અંદર ના લગાવવા જોઈએ
નહીંતર પરિવારની સુખ-શાંતિ થશે ભંગ
ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે
વૃક્ષ-છોડને લગાવતા પહેલા વાસ્તુનુ ખાસ ધ્યાન રાખો
વાસ્તુ શાસ્ત્ર મુજબ, વૃક્ષ છોડનો પ્રભાવ આપણા જીવન પર પડે છે. તેથી વાસ્તુ કહે છે કે વૃક્ષ-છોડને લગાવતા પહેલા વાસ્તુનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. આ સાથે છોડને યોગ્ય દિશામાં લગાવવો જોઈએ. કારણકે તેનાથી ઘણા પ્રકારના સંકટમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે અને હરિયાળી પણ આવે છે. જાણો કેવા વૃક્ષ-છોડ ઘરમાં ના લગાવવા જોઈએ.
કાંટાવાળા વૃક્ષ-છોડને ઘરની અંદર ન લગાવવા જોઈએે
વાસ્તુ શાસ્ત્ર મુજબ, લીંબુ, થોર વગેરે કાંટાવાળા વૃક્ષ-છોડને ઘરની અંદર ન લગાવવા જોઈએે. આ સાથે એવા છોડ જેમાંથી દૂધ નિકળે છે તેમને પણ ના લગાવવા જોઈએ. આવા છોડને અશુભ માનવામાં આવે છે. આવા છોડથી નકારાત્મક ઉર્જા નિકળે છે, જેનાથી ઘરમાં અશાંતિ રહે છે.
કાળા ગુલાબ ઘરમાં ના લગાવવા જોઈએ
જો કે, ગુલાબના છોડને ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. પરંતુ આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે કાળા ગુલાબ ઘરમાં ના લગાવવા જોઈએ કારણકે કાળા ગુલાબ લગાવવાથી ચિંતા વધે છે. આ સાથે ઘરમાં એવા વૃક્ષ-છોડ પણ ના લગાવવા જોઈએ, જે સાપ, મધમાખી, ઘુવડ વગેરેને આમંત્રિત કરે છે.